________________
इगवीसमं सरीरपयं ओरालिय सरीरे पमाण दार
श्री प्रज्ञापना सूत्र भाग २
જાણવી. એ સંબંધે આ સંગ્રહણી ગાથાઓ છે–હજાર યોજન, છ ગાઉ અને હજાર યોજન (ગર્ભજ જલચર, ચતુષ્પદ અને ઉરપરિસર્પની) જાણવી. ભુજપરિસર્પની ગાઉપૃથક્ત અને પક્ષીઓની ધનુષપૃથક્વ અવગાહના હોય છે. અને સંમૂર્છાિમ (જલચરો, ચતુષ્પદ સ્થલચરો અને ઉરપરિસ) ઉંચાઇમાં હજાર યોજન, ગાઉપૃથક્વ અને યોજન પૃથક્તા હોય છે. સંમૂર્છાિમ ભુજપરિસર્પઅને પક્ષીઓ) બન્નેનું ધનુષપૃથક્ત પ્રમાણ છે. હે ભગવન્! મનુષ્ય ઔદારિક શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ! જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ હોય છે. એ પ્રમાણે અપર્યાપ્તાઓની અવગાહના જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. સંમૂચ્છિમોની જઘન્ય અને ઉત્કૃષ્ટ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણે છે. ગર્ભજ અને પર્યાપ્તાઓની જઘન્ય અંગુલનો અસંખ્યાતમો .
ભાગ અને ઉત્કૃષ્ટ ત્રણ ગાઉની હોય છે.//૪/પ૭ર / (ટી) એ પ્રમાણે ઔદારિક શરીરના ભેદોના સંસ્થાનો કહ્યાં, હવે ઔદારિક શરીરઅવગાહનાનું પ્રમાણ કહે છે-“ગોપનિયરીપર v મંતે' ! ઇત્યાદિ. ઔદારિક શરીરની જઘન્ય અવગાહના અંગલનો અસંખ્યાતમો ભાગ છે. અને તે ઉત્પત્તિના પ્રથમ સમયે . પૃથિવીકાયિકાદિના શરીરની જાણવી. ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક હજાર યોજન પ્રમાણ હોય છે. એ અવગાહના લવણ સમુદ્રના ગોતીર્થાદિને વિષે રહેલા પદ્મનાલ વગેરેને આશ્રયી સમજવી. એ સિવાય બીજે એટલા મોટા ઔદારિક શરીરનો અસંભવ છે. એમ એકેન્દ્રિય સૂત્રને વિષે પણ જાણવું. તે પ્રમાણે સૂત્રકાર કહે છે-“giનિયમોરાતિ વ વેવ નહીં ગોહિય'જેમ ઔધિકસામાન્ય ઔદારિક શરીરની અવગાહના કહી તેમ એકેન્દ્રિય ઔદારિક શરીરની અવગાહના જાણવી. પૃથિવી, અપ, તેજસ, અને વાયુ સૂક્ષ્મ અને બાદર, તે પ્રત્યેક પર્યાપ્તા અને અપર્યાપ્તાના ઔદારિક શરીરની જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ હોય છે. એમ પ્રત્યેક પૃથિવીકાયાદિનાં નવ નવ સૂત્રો થાય છે તેમા ૧ ઔધિક-સામાન્યસૂત્ર, ૨ ઑવિક અપર્યાપ્તસૂત્ર, ૩ ઑધિક પર્યાપ્તસૂત્ર, ૪ સૂક્ષ્મ સૂત્ર, પસૂક્ષ્મ અપર્યાપ્ત સૂત્ર ૬ સૂક્ષ્મપર્યાપ્તસૂત્ર, ૭-૯ એમ બાદરનાં (૭બાદર, ૮ બાદર અપર્યાપ્ત અને બાદર પર્યાપ્તના ત્રણ સૂત્રો જાણવા. એમ વનસ્પતિકાયિકોના પણ નવ સૂત્રો થાય છે, પરન્તુ ઔધિકસામાન્ય વનસ્પતિસૂત્રમાં, ઔધિક વનસ્પતિપર્યાપ્ત સૂત્રમાં અને બાદર પર્યાપ્ત સૂત્રમાં જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી કાંઇક અધિક એક હજાર યોજન પ્રમાણ હોય છે. અને તે પદ્મનાલાદિની અપેક્ષાએ જાણવું. બાકીના પાંચ સૂત્રોમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંગુલનો અસંખ્યાતમો ભાગ સમજવો. બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિયોમાં પ્રત્યેકને ત્રણ ત્રણ સૂત્રો જાણવા જેમ કે, ઔધિક સૂત્ર, અપર્યાપ્ત સૂત્ર અને પર્યાપ્ત સૂત્ર. તેમાં ઑધિક સૂત્ર અને પર્યાપ્ત સૂત્રમાં બેઈન્દ્રિયોનું શરીર ઉત્કૃષ્ટથી બાર યોજન, ઇન્દ્રિયોનું ત્રણ ગાઉ અને ચઉરિન્દ્રિયોનું ચાર ગાઉ પ્રમાણ હોય છે. અપર્યાપ્ત સૂત્રમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે. સામાન્યતઃ તિર્યંચ પંચેન્દ્રિય, જલચર, સામાન્યતઃ સ્થલચર, ચતુષ્પદ, ઉરપરિસર્પ, ભુજપરિસર્પ અને ખેચર પંચેન્દ્રિય તિર્યંચોમાં પ્રત્યેકના નવ નવ સૂત્રો જાણવા. તે આ પ્રમાણે– ઔધિક ત્રણ સૂત્રો, સંમૂર્છાિમ સંબધે ત્રણ સૂત્રો, અને ગર્ભજ સંબધે ત્રણ સૂત્રો. તેમાં બધાય અપર્યાપ્તાના સ્થાનોમાં જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અંગલનો અસંખ્યાતમો ભાગ હોય છે. અને બાકીના સ્થાનોમાં જઘન્યથી અંગલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટથી સામાન્યતઃ તિર્યંચ પંચેન્દ્રિય અને જલચરમાં ઉત્કૃષ્ટ હજાર યોજન, સામાન્ય સ્થલચર, સામાન્ય ચતુષ્પદસ્થલચર અને ગર્ભજ સ્થલચરને વિષે છ ગાઉ, સંમૂર્છાિમમાં ગાઉપૃથક્વ, ઔધિક-સામાન્ય ઉરપરિસર્પમાં અને ગર્ભજ ઉરપરિસર્પમાં હજાર યોજન, સંમૂર્છાિમ ઉરપરિસર્પમાંયોજનપૃથક્વ, તથા સામાન્ય ભુજપરિસર્પમાં અને ગર્ભજ ભુજપરિસર્પમાં ગાઉપૃથક્વ, સંમૂર્છાિમ ભુજપરિસર્પમાં ધનુષપૃથક્વ, સામાન્યતઃખેચર, ગર્ભજ તથા સંમૂર્છાિમ ખેચર એ બધા સ્થાનોમાં અવગાહના ધનુષપૃથક્ત પ્રમાણ હોય છે. આ સંબંધે આ બે સંગ્રહણીગાથા છે-'નોયણાં ' ઇત્યાદિ. ગર્ભજ જલચરોનું ઉત્કૃષ્ટથી શરીરની અવગાહનાનું પ્રમાણ હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરોનું છ ગાઉ, ઉરપરિસર્પ સ્થલચરોનું હજાર યોજન, ભુજપરિસર્પ સ્થલચરનું ગાઉપૃથક્વ, પક્ષીઓનું ધનુષપૃથક્ત તથા સંમૂર્છાિમ જલચરોનું ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ હજાર યોજન, ચતુષ્પદ સ્થલચરોનું ગાઉપૃથક્વ, ઉરપરિસર્પ
– 139