________________
इगवीसमं सरीरपयं वेउव्वियसरीरे पमाणदारं
श्री प्रज्ञापना सूत्र भाग २
પંકપ્રભાની ભવધારણીય અવગાહના બાસઠ ધનુષ અને બે હાથ અને ઉત્તર વૈક્રિય અવગાહના એકસો પચીશ ધનુષ પ્રમાણ છે. ધુમપ્રભાની અવગાહના એકસો પચીશ ધનુષ અને ઉત્તર વૈકિય અવગાહના અઢીસો ધનુષ પ્રમાણ છે. તમ.પ્રભાકૃથિવીની ભવધારણીય અવગાહના અઢીસો ધનુષ અને ઉત્તર વૈક્રિય અવગાહના પાંચસો ધનુષ પ્રમાણ છે. નીચેની સાતમી નરકમૃથિવીની ભવધારણીય અવગાહના પાંચસો ધનુષ અને ઉત્તર વૈક્રિય અવગાહના હજાર ધનુષ પ્રમાણ છે. એમ ઉત્કૃષ્ટથી જાણવી. જઘન્યથી ભવધારણીય અવગાહના અંગુલનો અસંખ્યામાં ભાગ અને ઉત્તરવૈક્રિય અંગુલનો સંખ્યામાં ભાગ સમજવો, હે ભગવન્! તિર્યંચ પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરાવગાહના કહી છે. ' હે ગૌતમ! જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ યોજન શતપૃથક્વ–બસોથી નવસો યોજન હોય છે. હે. ભગવન્! મનુષ્ય પંચેન્દ્રિય વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે. હે ગૌતમ! જઘન્યથી અંગુલના સંખ્યાતમા ભાગ પ્રમાણ અને ઉત્કૃષ્ટ કાંઈક અધિક એક લાખ યોજન પ્રમાણ કહી છે. અસુરકુમાર ભવનવાસી દેવા પંચેન્દ્રિયના વૈક્રિય શરીરની કેટલી મોટી શરીરવગાહના કહી છે? હે ગૌતમ! અસુરકુમાર દેવોને બે પ્રકારની શરીરાવગાહના કહી છે. તે આ પ્રમાણે-ભવધારણીય અને ઉત્તરવૈક્રિય.તેમાં જે ભવધારણીય અવગાહના છે તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ સાત હાથ પ્રમાણ હોય છે. અને જે ઉત્તરવૈક્રિય છે તે જઘન્યથી અંગુલનો સંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ લાખ યોજન પ્રમાણ છે. એ પ્રમાણે યાવતુ સ્વનિત કુમાર સુધી જાણવું. એમ સામાન્ય વ્યન્તર, જ્યોતિષિકો અને સૌધર્મ-ઈશાન દેવોને જાણવું. એમ યાવત્ અય્યત દેવલોક સુધી ઉત્તર વૈક્રિય સમજવું. પરન્તુ સનસ્કુમારને ભવધારણીય અવગાહના જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ છ હાથ પ્રમાણ હોય છે. એમ માહેન્દ્ર દેવલોકને વિષે પણ સમજવું. બ્રહ્મલોક અને લાત્તકને વિશે પાંચ હાથ, મહાશક અને સહસ્ત્રારને વિશે ચાર હાથ આનત, પ્રાણત, આરણ અને અમ્રુતમાં ત્રણ હાથ પ્રમાણ જાણવી. નૈવેયક કલ્યાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય વૈક્રિયા શરીરની કેટલી મોટી અવગાહના કહી છે? હે ગૌતમ! રૈવેયક દેવોને એક ભવધારણીય શરીરવગાહના કહી છે, અને તે જઘન્યથી અંગુલનો અસંખ્યાતમો ભાગ, અને ઉત્કૃષ્ટ બે હાથ પ્રમાણ હોય છે. એ પ્રમાણે અનુત્તરપપાતિક દેવોને પણ
જાણવું. પરન્તુ તેઓનું વૈક્રિય શરીર એક હાથ પ્રમાણ છે. /holl૫૭૫ll (ટી.) સંસ્થાનનો કહ્યા, હવે અવગાહનાનું પ્રમાણ કહે છે-“વેબ્રિયલરીર ' ઇત્યાદિ. વૈક્રિય શરીર જઘન્યથી અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને તે નૈરયિકાદીનું ભવધારણીય અપર્યાપ્તાવસ્થામાં અને વાયુકાયનં(પર્યાપ્તાવસ્થામાં)હોય છે. અને ઉત્કૃષ્ટથી કાંઈક અધિક એક લાખયોજન પ્રમાણ ઉત્તરક્રિય દેવો અને મનુષ્યોને હોય છે. ‘fiચિવે બ્રિસરીર ' ઇત્યાદિ. અહીં એકેન્દ્રિય વાયુકાયિક જાણવા, તે સિવાય બીજાને ક્રિય લબ્ધિનો અસંભવ છે. તેને જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અવગાહનાનું પ્રમાણ અંગુલનો અસંખ્યાતમો ભાગ છે. કારણ કે એટલા પ્રમાણનું વૈક્રિય શરીર કરવાની તેની શક્તિ સંભવે છે. સામાન્ય નરયિક સૂત્રમાં “ભવધારણીયા-મવો ઘાત અનયા-જે વડે ભવ ધારણ કરાય તે ભવધારણીય-જન્મ પ્રાપ્ત અવગાહના-શરીર ઉત્કૃષ્ટ પાંચસો ધનુષ પ્રમાણ અને ઉત્તરક્રિય અવગાહના હજાર ધનુષપ્રમાણ સાતમી નરકની અપેક્ષાએ જાણવી. તે સિવાય બીજે એટલી ભવધારણીય અને ઉત્તર વૈક્રિય શરીરવગાહનાનો અસંભવ છે. હવે દરેક પૃથિવીની અવગાહનાનું પ્રમાણ કહે છે-“યળખા'-ઇત્યાદિ. રત્નપ્રભામાં અંગુલના અસંખ્યાતમા ભાગનું પ્રમાણ પ્રથમ ઉત્પત્તિ સમય જાણવું. અને ઉત્કૃષ્ટથી સાત ધનુષ, ત્રણ હાથ અને છ અંગુલ પર્યાપ્તાવસ્થામાં સમજવું. આ ઉત્કૃષ્ટ શરીરવગાહનાનું પ્રમાણ તેરમાં પ્રસ્તટ-પાથલાને વિશે જાણવું. અને બાકીના તેના પૂર્વના પ્રસ્તોમાં ઓછું છું શરીર પ્રમાણ હોય છે. શરીર પ્રમાણેરત્નપ્રભાના પહેલા પ્રસ્તટમાં ત્રણ હાથ ઉત્કૃષ્ટ શરીર પ્રમાણ છે. બીજા પ્રતટમાં એક ધનુષ, એક હાથ અને સાડા આઠ આંગળ, ત્રીજા પ્રતટમાં એક ધનુષ, ત્રણ હાથ અને સત્તર આંગળ, ચોથા પ્રસ્તટમાં બે ધનુષ, બે હાથ અને દોઢ આંગળ, પાંચમા પ્રતટમાં ત્રણ ધનુષ અને દશ આંગળ, છઠ્ઠા પ્રસ્તટમાં ત્રણ ધનુષ,બે હાથ અને સાડા અઢાર આંગળ,સાતમા પ્રસ્તટમાં ચાર ધનુષ, એક હાથ
- 147