________________
श्री प्रज्ञापना सूत्र भाग २
इगवीसमं सरीरपयं वेउव्वियसरीरे पमाणदारं અઢીસો ધનુષ સમજવું. આ પ્રમાણ પાંચમે પ્રતરે જાણવું અને બાકીના પ્રતરોમાં પોતપોતાના ભવધારણીય શરીરની અપેક્ષાએ બમણું જાણવું.
છઠ્ઠી તમઃપ્રભા પૃથિવીમાં ભવધારણીય શરીરની અવગાહના ઉત્કૃષ્ટથી અઢીસો ધનુષ હોય છે. અને તે ત્રીજા પ્રતરમાં જાણવી. પ્રથમ પ્રતરમાં એકસો પચીસ ધનુષ, બીજા પ્રત૨માં એકસો સાડી સત્યાશી ધનુષ અને ત્રીજા પ્રત૨માં સૂત્રમાં કહેલું પરમાણ હોય છે. અહીં આ તાત્પર્ય છે—પ્રથમ પ્રતરમાં પરિમાણ કહ્યું છે તેના ઉપર પ્રતરે પ્રતરે સાડી બાસઠ ધનુષ ઉમેરવા, એમ કરવાથી ત્રીજા પ્રત૨ને વિશે સૂત્રોક્ત પરિણામ થાય છે. કહ્યું છે કે—
सो चेव य छट्ठीए पढमपयरम्मि होइ उस्सेहो, बावट्ठी धणुय सड्डा पयरे पयरे य वुड्डीओ। छट्ठीए तइय पयरे दोसयपण्णासया होंति ।
તેજ છઠ્ઠી નરક પૃથિવીના પ્રથમ પ્રત૨માં ઉંચાઇ છે. તેમાં સાડી બાસઠ ધનુષની પ્રતરે પ્રતરે વૃદ્ધિ કરવી. એમ કરવાથી છઠ્ઠીના ત્રીજા પ્રત૨ે બસો પચાસ ધનુષ પરિમાણ થાય છે. અહીં પણ ઉત્તરાર્ધ સહિત ગાથાનો અક્ષરાર્થ પૂર્વની પેઠે ક૨વો. ઉત્તર વૈક્રિયનું પરિમાણ ઉત્કૃષ્ટથી પાંચસો ધનુષ હોય છે અને તે ત્રીજા પ્રત૨માં જાણવું. પ્રથમના બે પ્રતરમાં પોતપોતાના ભવધા૨ણીય શરીરની અપેક્ષાએ બમણું બમણું સમજવું.
સાતમી નરક પૃથિવીમાં ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ પાંચસો ધનુષપ્રમાણ છે અને ઉત્તર વૈક્રિય હજાર ધનુષ છે. બધે ભવધારણીય શરી૨ જઘન્યથી આંગળના અસંખ્યાતમા ભાગપ્રમાણ અને ઉત્તર વૈક્રિય અંગુલના સંખ્યાતમાં ભાગપ્રમાણ છે.
તિર્યંચ પંચેન્દ્રિયનું વૈક્રિય શ૨ી૨ ઉત્કૃષ્ટથી બસોથી નવસો યોજન સુધી છે. કારણ કે તેઓની તેથી વધારે મોટું વૈક્રિય શરીર કરવાની શક્તિ નથી. મનુષ્યોને કંઇક અધિક લાખ યોજન પ્રમાણ વૈક્રિય શરીર હોય છે, કારણ કે વિષ્ણુકુમાર પ્રમુખ તેવા પ્રકારનું શરીર કર્યાનું શાસ્ત્રમાં સંભળાય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય બન્નેને જઘન્ય શરીર અંગુલના સંખ્યાતમાં ભાગપ્રમાણ (પ્રારંભકાળે) હોય છે, પણ અસંખ્યાતમાં ભાગપ્રમાણ હોતું નથી. કારણ કે તેવા પ્રકારના પ્રયત્નનો સંભવ નથી.
અસુરકુમા૨થી માંડી સ્તનિતકુમાર સુધીના ભવનપતિ, વ્યન્તર, જ્યોાતષિક અને સૌધર્મ-ઈશાન દેવો પ્રત્યેકને જઘન્ય ભવધારણીય વૈક્રિય શરીરની અવગાહના અંગુલના અસંખ્યાતમા ભાગપ્રમાણ હોય છે, અને તે ઉત્પત્તિ સમયે જાણવી. તથા ઉત્કૃષ્ટ અવગાહના સાત હાથની હોય છે. ઉત્તર વૈક્રિયની જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગપ્રમાણ છે અને ઉત્કૃષ્ટ લાખ યોજન પ્રમાણ છે. ‘ઉત્તર-વેડબિયા ખાવ અજ્જુઓ ખો’—ઉત્તર વૈક્રિય અચ્યુત દેવલોક સુધી હોય છે. તેથી ઉ૫૨ ઉત્ત૨ વૈક્રિયનો સંભવ નથી. એ વાત પૂર્વે કહી છે. બધે જઘન્ય અવગાહના અંગુલના સંખ્યાતમા ભાગપ્રમાણ છે અને ઉત્કૃષ્ટલાખ યોજન છે.ભવધારણીય શ૨ી૨ વિવિધ પ્રકારનું હોય છે, માટે તે જુદું જુદું કહે છે—‘નવરં’ ઇત્યાદિ. પરન્તુ ભવધારણીય શ૨ી૨ની વિશેષતા છે–સનત્કુમાર દેવલોકમાં જઘન્યથી આંગળનો અસંખ્યાતમો ભાગ અને ઉત્કૃષ્ટ છ હાથ છે. ‘વં માહિંવેવિ’ એ પ્રમાણે જઘન્ય અને ઉત્કૃષ્ટ ભવધારણીય શરીર માહેન્દ્ર દેવલોકને વિશે પણ કહેવું. આ સાત સાગરોપમની સ્થિતિવાળા દેવોને આશ્રયી કહેલું જાણવું. બે ત્રણ ઇત્યાદિ સાગરોપમની સ્થિતિવાળાને આ પ્રમાણે છે—સનત્કુમાર અને માહેન્દ્ર કલ્પમાં જેઓની બે સાગરોપમની સ્થિતિ છે તેઓનું ભવધા૨ણીય શરીર ઉત્કૃષ્ટથી પૂરા સાત હાથ પ્રમાણ છે. જેઓની ત્રણ સાગરોપમની સ્થિતિ છે તેઓનું શ૨ી૨ છ હાથ અને એક હાથના ચાર અગિયારાંશ હોય છે. જેઓની ચાર સાગરોપમની સ્થિતિ છે તેઓનું શરીર છ હાથ અને એક હાથના ત્રણ અગિયારાંશ હોય છે. જેઓની પાંચ સાગરોપમની સ્થિતિ છે તેઓનું શરીર છ હાથ અને હાથના બે અગિયારાંશ હોય છે, જેઓની છ સાગરોપમની સ્થિતિ છે તેઓનું શરીર છ હાથ અને હસ્તનો એક અગિયારાંશ હોય છે. અને જેઓની પૂરા સાત સાગરોપમની સ્થિતિ છે તેઓનું પૂરા છ હાથ પ્રમાણ ભવધારણીય શરીર છે. એ સંબંધે કહ્યું છે —“અયરતિં દ્િનેસિં सणंकुमारे तहेव माहिंदे । रयणीछक्कं तेसिं भागचउक्काहियं देहो । तत्तो अयरे अयरे भागो एक्केक्कओ पडइ जाव । સાગરસત્તનિાં ચળીછી તળુપમાળ" ।। સનન્કુમાર અને માહેન્દ્ર દેવલોકમાં જેઓની ત્રણ સાગરોપમોની સ્થિતિ છે તેઓનું
150