________________
इगवीसमं सरीरपयं वेउव्वियसरीरे पमाणदारं
श्री प्रज्ञापना सूत्र भाग २
શરીર છ હાથ અને એક હાથના અગિયાર ભાગ કરીએ એવા ચાર ભાગ અધિક હોય છે. તેમાંથી દરેક સાગરોપમે એક એક ભાગ બાદ કરવો, યાવત્ સાત સાગરોપમની સ્થિતિવાળા દેવાનું છ હાથનું શરીરપ્રમાણ હોય છે. અહીં જઘન્ય ભવધારણીય શરીર બધે સ્થળે પણ અંગુલના અસંખ્યાતમા ભાગ પ્રમાણ છે અને તે પ્રસિદ્ધ છે. માટે તેને છોડીને ઉત્કૃષ્ટ અવગાહનાનું પ્રતિપાદન કરે છે‘વંદનો-સંતોનું પ% રળીયો'ઇતિ.બ્રહ્મલોક અને લાન્તકદેવલોકમાં પાંચ હાથનું શરીર છે. જો કે અહીં બ્રહ્મલોકના ઉપર લાન્તક છે, સમશ્રેણિએ નથી, તોપણ અહીં શરીરના પ્રમાણનો વિચાર હોવાથી આ બે દેવલોકની વિવક્ષા કરી છે. કારણ કે બે દેવલોકને અન્ને એક હાથ પ્રમાણ ઘટે છે. એ પ્રમાણે આગળ પણ શુક્ર અને સહસાર દેવલોકને વિશે તથા આનત, પ્રાણત, આરણ અને અય્યત એ ચાર દેવલોકને વિશે એક એક હાથ પ્રમાણ શરીર ઘટે છે. એમ શૈવેયકમાં તથા પાંચ અનુત્તરને વિશે એક એક હાથ પ્રમાણ શરીર ઘટે છે–એમ બે ચાર ઇત્યાદિ દેવલોકને સાથે ગ્રહણ કરવાનું કારણ સમજવું. તેમા બ્રહ્મલોક અને લાન્તકને વિષે ભવધારણીય શરીર ઉત્કૃષ્ટ પાંચ હાથ છે. એ શરીરપ્રમાણ લાન્તકને વિશે ચૌદ સાગરોપમની સ્થિતિવાળા દેવોને આશ્રયી પ્રતિપાદન કરેલું સમજવું. બાકીના સાગરોપમની સ્થિતિવાળા દેવોને વિશે આ પ્રમાણે છ–જેઓની બ્રહ્મલોકમાં સાતસાગરોપમની સ્થિતિ છે તેઓનું ભવધારણીય શરીર પૂરા છ હાથ છે. જેઓની આઠ સાગરોપમની સ્થિતિ છે તેઓનું પાંચ હાથ અને હાથના અગિયારાંશ હોય છે. જેઓની નવ સાગરોપમની સ્થિતિ છે તેઓનું પાંચ હાથ અંને હાથના પાંચ અગિયારાંશ હોય છે. જેઓની દસ સાગરોપમની સ્થિતિ છે તેઓને પાંચ હાથ અને હાથના ચાર અગિયારાંશ હોય છે. લાન્તકમાં પણ જેઓની દસ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલુંજ ભવધારણીય શરીર ઉત્કૃષ્ટથી હોય છે. જેઓની લાન્તકને વિષે અગિયાર સાગરોપમની સ્થિતિ છે તેઓને પાંચ હાથ અને હાથના ત્રણ અગિયારાંશ હોય છે. જેઓની બાર સાગરોપમની સ્થિતિ છે તેઓને પાંચ હાથ અને હાથના બે અગિયારાંશ હોય છે. જેઓની તેરસાગરોપમની સ્થિતિ છે તેઓને પાંચ હાથ અને હાથનો એક અગિયારાંશ શરીરપ્રમાણ હોય છે જેઓની ચૌદ સાગરોપમની સ્થિતિ છે તેઓને પુરા પાંચ હાથ પ્રમાણ ભવધારણીય શરીર છે.
મહાસુદ્યાસહસ્સાનું વત્તરિ નમો'–મહાશુક્ર અને સહસારને વિશે ઉત્કૃષ્ટચાર હાથ પ્રમાણ ભવધારણીય શરીર હોય છે. એ પ્રમાણ સહસાર કલ્પમાં રહેલા અઢાર સાગરોપમની સ્થિતિવાળા દેવોને આશ્રયી જાણવું, બાકીના સાગરોપમની સ્થિતિવાળા દેવામાં આ પ્રમાણે છ–જેઓની મહાશુક્ર કલ્પમાંચૌદસાગરોપમની સ્થિતિ છે તેઓનું ઉત્કૃષ્ટથી ભવધારણીય શરીર સંપૂર્ણ પાંચ હાથનું હોય છે. જેઓની પંદર સાગરોપમની સ્થિતિ છે તેઓનું શરીર ચાર હાથ અને હાથના ત્રણ અગિયારાંશ હોય છે. જેઓની સોળ સાગરોપમની સ્થિતિ છે તેઓનું શરીર ચાર હાથ અને એક હાથના બે અગિયારાંશ હોય છે. જેઓની સત્તર સાગરોપમની સ્થિતિ છે તેઓનું શરીર ચાર હાથ અને હાથનો એક અગિયારાંશ હોય છે. અને સહસાર દેવોમાં પણ જેઓની સ્થિતિ સત્તર સાગરોપમની છે તેઓને એટલું જ ભવધારણીય શરીર હોય છે. સહસાર દેવલોકમાં જેઓની સંપૂર્ણ અઢાર સાગરોપમની સ્થિતિ છે તેઓનું પરિપૂર્ણ ચાર હાથ પ્રમાણ ભવધારણીય શરીર હોય છે.
માયાપા મારવુસુ તિત્રિ રથનીઓ'ઇતિ. આનત, પ્રાણત, આરણ અને અશ્રુત દેવલોકમાં ઉત્કૃષ્ટત્રણ હાથનું ભવધારણીય શરીર હોય છે. આ અશ્રુત દેવલોકમાં બાવીશ સાગરોપમની સ્થિતિવાળા દેવોને આશ્રયી સમજવું. બાકીના સાગરોપમની સ્થિતિવાળાને વિશે આ પ્રમાણે છ–જેઓની આનત કલ્પમાં પણ પરિપૂર્ણ કે કંઈક અધિક અઢાર સાગરોપમની સ્થિતિ છે તેઓને ઉત્કૃષ્ટચાર હાથનું ભવધારણીય શરીર હોય છે. જેઓની ઓગણીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને ત્રણ હાથ અને હાથના ત્રણ અગિયારાંશ પ્રમાણ શરીર હોય છે. પ્રાણત કલ્પમાં પણ જેઓની ઓગણીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલું જ ભવધારણીય શરીર હોય છે. જેઓની પુનઃપ્રાણત કલ્પમાં વીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને ત્રણ હાથ અને હાથના બે અગિયારાંશ શરીર હોય છે. જેઓની આરણ કલ્પમાં પણ વીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલું જ ભવધારણીય શરીર હોય છે. જેઓની આરણ કલ્પમાં પણ એકવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને ત્રણ હાથ અને એક હાથનો અગિયારમો ભાગ ભવધારણીય શરીર હોય છે. અચુત કલ્પમાં પણ જેઓની એકવીશ સાગરોપમની સ્થિતિ છે તેઓને એટલું જ ભવધારણીય શરીર
151