________________
इगवीसमं सरीरपयं ओरालियसरीरे विहिदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ પ્રયોજન વડે વિશિષ્ટ લબ્ધિના વશથી ‘આહ્રિયતે’-કરાય તે આહારક. અહીં કર્મમાં ‘ણક’ પ્રત્યય થયો છે. જેમકે પાવામ્યાં હ્રિયતે કૃતિ પાવહાર:-પગ વડે હરણ કરાય તે પાદહારક. એ સંબંધે કહ્યું છે કે—
" कज्जमि समुपन्ने सुयकेवलिणा विसिट्ठलद्धिए । जं एत्थ आहरिज्जइ भांति आहारगं तं तु " ॥
કાર્ય ઉત્પન્ન થવાથી શ્રુતકેવલિ દ્વારા વિશિષ્ટ લબ્ધિ વડે કરાય તેને આહા૨ક કહે છે. અને તેઓને આ કાય હોય છે– पाणिदयरिद्धिदंसणसुहमपयत्थावगहणहेउं वा । संसयवोच्छेयत्थं गमणं जिणपायमूलंमि ॥
પ્રાણીદયા, ઋદ્ધિદર્શન અને સૂક્ષ્મ પદાર્થને સમજવા માટે તથા સંશય દૂર કરવા માટે જિનની પાસે (આહા૨ક શ૨ી૨ વડે) ગમન થાય છે. તે વૈક્રિયશરીરની અપેક્ષાએ અત્યન્ત શુભ અને સ્વચ્છ સ્ફટિકશિલાની પેઠે શુભ્ર પુદ્ગલના સમૂહની રચનારૂપ છે. ‘તેયપ્’ ઇતિ. તૈજસ-તેજસ્ એટલે તૈજસ્ પુદ્ગલોનો વિકાર–પરિણામ તે તૈજસ શ૨ી૨. અહીંવિકાર અર્થમાં ‘અણ્’પ્રત્યય થયો છે. તે ઉષ્મા-ગરમી છે લિંગચિન્હ જેનું એવું તથા ખાધેલા આહારના પરિણામનું કારણ છે. તે તૈજસ સરીરથી જેને વિશિષ્ટ તપથી લબ્ધિ વિશેષ ઉત્પન્ન થયેલી છે એવા પુરુષને તેજોલેશ્યા નીકળે છે. એ સંબંધે કહ્યું છે કે–
सव्वस्स उम्हसिद्धं रसाइआहारपाकजणगं च । तेयगलद्धिनिमित्ते च तेयगं होइ नायव्वं ॥
સર્વને ઉષ્મા–ગ૨મીથી સિદ્ધ-નિશ્ચિત, રસાદિ આહારના પાક-પરિણામને ઉત્પન્ન કરનાર અનેં તૈજસ લબ્ધિનું કારણ તેજસ શરીર છે. ‘જમ્મટ્' ઇતિ-કર્મજ-કર્મથી ઉત્પન્ન થયેલું કર્મજ અથવા કાર્પણ શરીર કહેવાય છે. તાત્પર્ય એ છે કે કર્મ૫૨માણુઓ જ આત્મપ્રદેશની સાથે ક્ષીરનીરની પેઠે પરસ્પર મળેલા અને શરીરરૂપે પરિણત થયેલા છે તે કર્મજ શરીર કહેવાય છે. આજ કારણથી તેને બીજે સ્થળે ‘કાર્યણ’ શ૨ી૨ કહ્યું છે. કર્મનો વિકાર–પરિણામ તે કાર્યણ. એ સંબંધે કહ્યું છે કે— कम्मविगारो कम्मणमट्ठविहविचितकम्मनिष्पन्नं । सव्वेसिं सरीराणं कारणभूयं मुणेयव्वं ॥
કર્મનો વિકાર એ કાર્યણ, તે આઠ પ્રકારના વિચિત્ર કર્મથી થયેલું છે. અને તેને બધા શરીરનું કારણભૂત જાણવું.”—બધા ઔદારિકાદિ શ૨ી૨નું કારણભૂત–બીજરૂપ કાર્યણ શરીર છે. કારણ કે ભવ પ્રપંચરૂપ અંકુરના બીજભુત કાર્યણ શ૨ી૨નો મુળથી નાશ થયો હોય તો બાકીના શરીરની ઉત્પત્તિ થતી નથી. આ કામર્ણ શરીર પ્રાણીને એક ગતિથી બીજી ગતિમાં જવાને અત્યન્ત સાધક કારણરૂપ છે. તે આ પ્રમાણે–તૈજસ સહિત કાર્યણ શરીર યુક્ત જીવ મરણ સ્થાનનો ત્યાગ કરી ઉપજવાના સ્થાને જાય છે.(પ્ર0)–જો તૈજસ યુક્ત કાર્યણ શ૨ી૨ સહિત જીવ બીજી ગતિમાં જાય છે તો જતાં આવતા કેમ દેખાતો નથી? (ઉ૦)– કર્મપુદ્ગલો અત્યન્ત સૂક્ષ્મ હોવાથી ચક્ષુ આદિ ઇન્દ્રિયોને અગોચર છે. અન્યતીર્થિકોએ પણ કહ્યું છે—
44
'अन्तरा भवदेहोऽपि सूक्ष्मत्वान्नोपलभ्यते । निष्क्रामन् प्रविशन् वाऽपि नाभावोऽनीक्षणादपि ॥
વચ્ચે રહેલો ભવદેહ (ભવની સાથે સંબંધ રાખનાર શરીર) પણ નીકળતા કે પ્રવેશ કરતા જણાતો નથી, પણ નહિ જોવાથી તેનો અભાવ સિદ્ધ થતો નથી. એટલે કોઇપણ વસ્તુનો અનુલપધ્ધિમાત્રથી અભાવ સિદ્ધ થતો નથી, પણ યોગ્યાનુપલબ્ધિ
અભાવની સાધક છે. ।।૧।।૫૬૯।।
|| મોરાલિયરીરે વિહિવારં ||
जाव
ओरालियसरीरे णं भंते! कतिविहे पन्नत्ते ? गोयमा पंचविहे पन्नत्ते, तं जहा - एगिंदिय ओरालियसरीरे, વંચિલિયોાતિયસરી પiિડિયોાલિય-હરીરે ાં ભંતે! તિવિદ્દે પન્નત્તે? ગોયમા! પંચવિષે પન્નત્તે, તં નહાपुढविक्काइयएगिंदियओरालियसरीरे, जाव वणप्फइकाइयएगिंदिय ओरालिय- सरीरे । पुढविक्काइयएगिंदियओरालियसरीरे णं भंते! कतिविहे पन्नत्ते ? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा - सुहुमपुढविक्काइयएगिंदियओरालियसरीरे य, बादरपुढविक्काइयएगिंदिय ओरालियसरीरे य। सुहुमपूढविक्काइयएगिंदिय ओरालियसरीरे णं भंते! कतिविहे पन्नत्ते? गोयमा ! दुविहे पन्नत्ते, तं जहा- पज्जत्तगसुहुमपुढविक्काइयएगिंदियओरालियसरीरे य
131