________________
श्री प्रज्ञापना सूत्र भाग २
वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स भवियदव्वदेवउववायपरूवणं અખષ્ઠિત છે એવાઓનો, સંજ્વલન કષાયના સામર્થ્યથી કે પ્રમત્ત ગુણસ્થાનકથી સ્વલ્પ માયાદિ દોષનો સંભવ હોવા છતાં પણ જેઓએ સર્વથા ચારિત્રનો ઘાત કર્યો નથી એવાઓનો. તથા વિરહિયસંગમ'–વિરાધિત સંયમવાળા–વિરાધિત-સર્વથા ખંડિત થયેલા, પણ પ્રાયશ્ચિત્તના સ્વીકાર વડે ફરીથી સંયમનું અનુસંધાન જેઓએ કર્યું નથી એવાઓનો, ‘મવિધતસંગમસંગમા'-ગ્રહણ સમયથી આરંભી જેઓનો દેશવિરતિનો પરિણામ અખંડિત છે એવા શ્રાવકોનો, ‘વિરાતિસંગમસંગમાન'– વિરાધિતદેશવિરતિવાળા–વિરાધિત-સર્વથા ખંડિત થયેલો પણ પ્રાયશ્ચિત્ત વડે ફરીથી નવીન નહિ કરાયેલો સંયમસંયમદેશવિરતિ પરિણામ જેઓનો છે એવા. એટલે દેશવિરતિનું વિરાધન કરનારાઓનો, ‘સંજ્ઞિનામ્' મનોલબ્ધિ રહિત અકામ નિર્જરાવાળાઓનો, તાવસા' ખરી પડેલા પાંદડા વગેરેનો ઉપભોગ કરનારા બાલ તપસ્વીઓનો, ‘પ્રિયાળ'—કાંદપિકોકંદર્પ-પરિહાસ જેઓને છે એટલે પરિહાસ કરનારા, વ્યવહારથી ચારિત્રવાળા છતાં કંદર્પ-હાસ્ય, કૌફ શારીરિક કુચેષ્ટા કરનારા કાંદપિંકો જાણવા. એ સંબધે કહ્યું છે કે
कंदप्पे कुक्कुइए दवसीले यावि हासणकरे या विम्हावितो य परं कंदप्पं भावणं कुणइ ॥ કંદર્પકારક, કૌશ્ય કરનાર, દ્રવશીલ-જલદી કરવાના સ્વભાવવાળો, હસાવનાર અને બીજાને વિસ્મય ઉત્પન્ન કરનાર કંદર્પ-વિષયક ભાવના કરે છે. હવે કંદર્પ સંબન્ધ કહે છે–
कहकहस्स हसणं कंदप्पो अणिहुया य संलावा। कंदप्पकहाकहणं कंदप्पुवएससंसा य ॥ આ ખડ ખડ-ઉચ્ચ સ્વરે હસવું, અનિભૂત-ગુવાદિની સાથે નિષ્ફર પણે તથા વક્રોક્તિથી સ્વેચ્છા પૂર્વક સંલાપ–બોલવું, કામકથા કહેવી, કંદર્પ-કામનો આ પ્રમાણે કરો-એમ ઉપદેશ આપવો અને કામની પ્રશંસા કરવી એ કંદર્પશબ્દ વાચ્ય છે. કોકુ-ભાંડચેષ્ટા, તે બે પ્રકારે છે-કાયકૌકુચ્ય અને વાકયુ. તેમાં પ્રથમ કાયકૌમુ કહે છે
भूमनयणवयणदसणच्छएहिं करचरणकण्णमाईहिं। तं तं करेइ जह जह हसइ परो अत्तणा अहसं।।
ભૂકુટી, નયન, વદન, ઓષ્ઠ વડે તથા કર, ચરણ અને કર્ણાદિ વડે તે તે ચેષ્ટા કરે કે પોતે નહિ હસવા છતાં બીજો હસે. હવે વાકોકુ કહે છે–
वाया कुक्कुइओ पुण तं तं जंपइ जेण हस्सए अन्नो। नाणाविहजीवरुए कुव्वइ मुहतूरए चेव ॥
વાફકૌશિક તે તે બોલે કે જેથી બીજો હસે. અનેક પ્રકારના પ્રાણીઓના શબ્દ બોલે છે અને મુખતૂર્ય-મુખવડે વારિત્ર કરે. હવે દ્રવશીલ અથવા દ્રુતશીલ-જલદી ક્રિયા કરવાના સ્વભાવવાળાની વ્યાખ્યા કરે છે– - भासइ दुयं दुयं गच्छए य दरिओव्व गो व सो सरए। सव्वदुयदुयकारी फुट्टइ व ठिओवि दप्पेणं ॥
જે (આવેશથી વગર વિચાર્યું) જલદી જલદી બોલે, શર કાળને વિષે દસ-ગર્વિષ્ઠ સાંઠની પેઠે જલદી જલદી ચાલે છે. વિચાર કર્યા સિવાય સર્વ કાર્ય જલદી જલદી કરે સ્થિત હોય તો પણ દ–અભિમાન વડે સ્ફટિ–ફાટી ગયો હોયની શું એવો લાગે. હવે હાસન-હસાવનાર સંબંધે વ્યાખ્યા કરે છે–
. वेसवयणेहिं हासं जणयंतो अप्पणो परेसिं च। अह हासणो त्ति भन्नइ घयणोव्व छले नियच्छंतो।। - ‘પયળો 'ભાંડની પેઠે બીજાના છલ–વેષ અને ભાષા સંબધે છિદ્ર જોતો. વેષ અને વચન વડે પોતાને અને બીજાને હાસ્ય ઉત્પન્ન કરનાર હાસન-હસાવનાર કહેવાય છે. બીજાને વિસ્મય ઉત્પન્ન કરવા સંબંધે કહે છે –
सुरजालमाइएहिं तु विम्हयं कुणइ तविहजणस्स। तेसु न विम्हयइ सयं पहेलियकुहेडएहिं च।
સુરજાલ-ઇન્દ્રજાલાદિ પ્રમુખ કુતૂહલ વડે તથા પ્રહેલિકા અને કહેડક-આભાણક વગેરેથી તેવા પ્રકારના ગ્રામ્ય જનને વિસ્મય પમાડે છે અને સ્વયં વિસ્મય પામતો નથી. ... जो संजओवि एयासु अप्पसत्थासु भावणं कुणइ। सो तव्विहेसु गच्छइ सुरेसु भइओ चरणहीणो।।
જે સંયત છતાં પણ આ અપ્રશસ્ત-સંક્ષિણ ભાવના ભાવે છે. વટ્ટ ' એવો પણ અન્ય સ્થળે પાઠ છે-તેથી 126