________________
श्री प्रज्ञापना सूत्र भाग २
वीसइमं अंतकिरियापयं वीसइमंपयस्स भवियदव्वदेवउववायपरूवणं
(મૂળ) હે ભગવન્! રત્નપ્રભા પૃથિવીનો નૈરયિક રત્નપ્રભાના નૈરયિકોથી નીકળી પછીના ભવમાં ચક્રવર્તિપણું પામે? હે ગૌતમ! કોઇ પામે અને કોઇ ન પામે. હે ભગવન્! એમ શા હેતુથી કહો છો? હે ગૌતમ! જેમ રત્નપ્રભા પૃથિવીના નૈયિકોના તીર્થંકરપણા સંબંધે કહ્યું છે તેમ ચક્રવર્તિપણા સંબન્ધ કહેવું. હે ભગવન્! શર્કરાપ્રભાનો નૈરયિક નીકળી પછીના ભવમાં ચક્રવર્તિપણું પામે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એ પ્રમાણે નીચે સાતમી પૃથિવીના નૈરયિક સુધી કહેવું. તિર્યંચ અને મનુષ્ય સંબંધે પૃચ્છા. એટલે ત્યાંથી નીકળી ચક્રવર્તિપણું પામે? હે ગૌતમ! એ અર્થ સમર્થ નથી. ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકથી નીકળી ચક્રવર્તિપણું પામે? હે ગૌતમ! કોઇ પામે અને કોઇ ન પામે. એ પ્રમાણે બલદેવપણું પણ જાણવું. પરન્તુ એટલી વિશેષતા છે કે શર્કરાપ્રભાનો નૈરયિક પણ બલદેવપણું પામે. એ પ્રમાણે વાસુદેવપણું બે પૃથિવીથી અને અનુત્તરૌપપાતિક સિવાયના વૈમાનિકોથી નીકળી પ્રાપ્ત કરે, બાકીના સ્થાનોથી આવી પ્રાપ્ત ન કરે. માંડલિકપણું નીચેની સાતમી નરકપૃથિવી, તેજસ્કાય અને વાયુકાય સિવાયના બાકીના સ્થાનોથી આવી પ્રાપ્ત કરે. ચક્રવર્તીના સેનાપતિરત્ન, ગાથાપતિરત્ન, વર્ધીકરત્ન, પુરોહિતરત્ન અને સ્ત્રીરત્ન સંબંધે એમજ સમજવું. પરન્તુ તે અનુત્તરૌપપાતિક સિવાયના બાકીના સ્થાનોથી આવીને થાય. અશ્વરત્નપણું અને હસ્તીરત્નપણું રત્નપ્રભાથી આરંભી નિરંતર સહસ્રાર સુધીના સ્થાનોથી આવી કોઇ પ્રાપ્ત કરે અને કોઇ પ્રાપ્ત ન કરે. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દંડરત્ન, અસિરત્ન, મણિરત્ન અને કાકિણીરત્ન એઓનો અસુરકુમારથી આરંભી નિરંતર ઈશાન સુધીના સ્થાનોથી આવીને ઉપપાત સમજવો. બાકીના સ્થાનોથી ‘એ અર્થ સમર્થ નથી’ એમ પ્રતિષેધ કરવો. ૧૧૫૬૬॥ (ટી૦) હવે જ્યાંથી નીફળી ચક્રવર્તિત્વાદિ-ચક્રવર્તી વગેરે થાય તે સંબન્ધ દ્વારો કહે છે—તેમાં રત્નપ્રભા નૈરયિક, ભવનપતિ, વ્યન્તર, જ્યોતિષિક અને વૈમાનિકોથી નીકળી ચક્રવર્તીપણું પ્રાપ્ત કરે, પણ બાકીના સ્થાનોથી નીકળી ન પામે. બલદેવ અને વાસુદેવપણું શર્કરાપ્રભાથી નીકળીને પણ પામે. પરંતુ વાસુદેવપણું અનુત્તરૌપપાતિક સિવાયના વૈમાનિકોથી નીકળી પામે. માંડલિકપણું સાતમી નરકપૃથિવી, તેજસ્કાય અને વાયુ સિવાયના બાકીના સર્વ સ્થાનોથી આવી પ્રાપ્ત કરે. સેનાપતિરત્ન, વર્ષકિરત્ન, પુરોહિતરત્ન અને સ્રીરત્ન સાતમી નરકપૃથિવી, તેજસ્કાય, વાયુ અને અનુત્તરૌપપાતિક દેવ સિવાયના બાકીના સ્થાનોથી આવી થાય. અશ્વરત્ન અને હસ્તિરત્ન રત્નપ્રભાથી આરંભી નિરંતર સહસ્રાર સુધીના સ્થાનોથી આવી થાય. ચક્રરત્ન, છત્રરત્ન, ચર્મરત્ન, દRsરત્ન અને કાકિણિરત્ન અસુરકુમારથી આરંભી નિરંતર ઈશાન દેવલોક સુધીના સ્થાનોથી આવી થાય. બધે વિધિ વાક્યમાં ‘અસ્થિરૂપ્ તમેગ્ગા, અત્થાQ નો જ્ઞમેન્ગા’—‘કોઇ પામે અને કોઇ ન પામે’– -એમ કહેવું. અને નિષેધ કરવામાં ‘ખો ફળકે સમદ્રે’—એ અર્થ સમર્થ નથી—એમ કહેવું. એ પ્રમાણે બધા દ્વારો કહ્યા.
ન
||૧૧૫૬૬॥
|| મવિયનવેવવવાયવરુવપ્ન ||
अह भंते! असंजयभवियदव्वदेवाणं, अविराहियसंजमाणं, विराहियसंजमाणं, अविराहियसंजमासंजमाणं, વિાહિયસંનમાસંનમાાં,અસળીાં,તાવતાળ, વખિયાળ, ઘર-પરિ∞ાયાળું, વિિિશયાળ,તિિિ∞યાળ, आजीवियाणं, आभिओगियाणं, सलिंगीणं दंसणवावण्णगाणं देवलोगेसु उववज्जमाणाणं कस्स कहिं उववाओ `पण्णत्तो ? गोयमा! असंजयभवियदव्वदेवाणं जहण्णेणं भवणवासीसु, उक्कोसेणं उवरिमगेवेज्जएसु, अविराहियसंजमाणं जहन्नेणं सोहम्मे कप्पे, उक्कोसेणं सव्वट्ठसिद्धे, विराहियसंजमाणं जहन्नेणं भवणवासीसु, उक्कोसेणं सोहम्मे कप्पे, अविराहियसंजमासंजमाणं जहन्नेणं सोहम्मे कप्पे, उक्कोसेणं अच्चुए कप्पे, विराहितसंजमासंजमाणं जहनेणं भवणवासीसु, उक्कोसेणं जोतिसिएसु, असन्नीणं जहन्नेणं भवणवासीसु, उक्कोसेणं वाणमंतरेसु, तावसाणं जहन्नेणं भवणवासीसु, उक्कोसेणं जोइसिएसु, कंदप्पियाणं जहन्नेणं भवणवासीसु, उक्कोसेणं
124