________________
वीसइमं अंतकिरियापयं वीसइमपयस्स भवियदव्वदेवउववायपरूवणं
श्री प्रज्ञापना सूत्र भाग २
આ અપ્રશસ્ત ભાવનામાં કથંચિત્-ભાવની મન્દતાથી વર્તે છે તે (ચારિત્રના લેશથી) તેવા પ્રકારના-કંદપદિ પ્રકારવાળા દેવોમાં ઉત્પન્ન થાય છે, પરન્ત જે “ચરણહીન:-ચારિત્ર રહિત છે તે ભક્ત-ભજનાએ-વિકલ્પ જાણવો એટલે કદાચિત્ તેવા પ્રકારના દેવોમાં ઉત્પન્ન થાય છે અને કદાચિત્ નારક, તિર્યંચ અને મનુષ્યગતિમાં ઉત્પન્ન થાય છે.
| ‘વર પરિવ્રાય ' તિ–ચરકપરિવ્રાજક-ટોળા વડે ભિક્ષા માગી આજીવિકા ચલાવનાર ત્રિદંડી, અથવા ચરકકચ્છ, લંગોટી પહેરનારા અને પરિવ્રાજક-કપિલમુનિના શિષ્યો, તેઓનો; ‘ક્રિબ્લિસિયા' તિ. કિલ્બિષ–પાપ, તે જેઓમાં છે તેઓ કિલ્બિષિકો કહેવાય છે. તે ચારિત્રવાળા છતાં જ્ઞાનાદિનો અવર્ણવાદ બોલનારા હોય છે. એ સંબંધે કહ્યું છે કે
नाणस्स केवलीणं धम्मायरियाण सव्वसाहूणं। माई अवन्नवाई किब्बिसियं भावणं कुणइ।।
શ્રુતજ્ઞાન, કેવલજ્ઞાની, ધર્માચાર્ય-ધર્મોપદેશક, અને સર્વ સાધુઓનો, બીજે સ્થળે ‘સંસાહૂ' એવો પણ પાઠ મળે છે, તેથી ચતુર્વિધ સંઘ અને સાધુઓનો અવર્ણવાદ બોલનાર કિલ્બિષિક ભાવના કરે છે. અવર્ણ-નિન્દા, ખોટા દોષ પ્રગટ કરવા. તેમાં પ્રથમ શ્રતજ્ઞાનના અવર્ણવાદનું વર્ણન કરે છે–
काया वया य ते च्चिय ते चेव पमायअप्पमाया या मोक्खाहिगारियाणं जोइसजोणीहिं किं कज्ज।
તેજ પૃથિવ્યાદિ કાયો, પ્રાણાતિપાત વિરમણાદિ વ્રતો, તેજ મદ્યાદિ પ્રમાદો અને તેના વિપક્ષરૂપે અપ્રમાદો તે તે સૂત્રમાં વારંવાર કહેવાય છે, બીજું વિશેષ કાંઈ પણ નથી. માટે પુનરુક્ત દોષ છે. વળી મોક્ષના અધિકારીને સૂર્યપ્રજ્ઞપ્તિ-વગેરે
જ્યોતિશાસ્ત્રનું અને યોનિ-યોનિપ્રાભૂત વગેરે શાસ્ત્રોનું શું કામ છે? કારણ કે તેઓ ભવનું કારણ છે. કેવલજ્ઞાનીના અવર્ણવાદ સંબન્ધ કહે છે–
एगंतरमुप्पाए अण्णोण्णावरणया दुवेण्हंपि। केवलदंसणणाणामेगकाले य एगत्त।। કેવલજ્ઞાનીને કેવલજ્ઞાન અને કેવલદર્શનનો ઉપયોગ એકાન્તર-અનુક્રમે ઉત્પન્ન થાય તો બન્ને ઉપયોગના પણ બન્ને પરસ્પર આવરણ રૂપ થાય છે. એટલે જ્ઞાનોપયોગનો પ્રતિબન્ધક દર્શનોપયોગ થાય અને દર્શનોપયોગનો પ્રતિબન્ધક જ્ઞાનોપયોગ થાય. અને જો બન્ને ઉપયોગ એક કાળે હોય તો બન્નેનો એકત્વ-અભેદ થાય. ધર્માચાર્યના અવર્ણવાદ સંબન્ધ કહે છે
जच्चाईहिं अवन्नं विभासइ वट्टइ नयावि उववाए(यारे)। अहिओ छिद्दपेही पगासवाई अणणुकूलो ॥
જાત્યાદિ વડે અવર્ણવાદ બોલે, જેમ કે આ ઉચ્ચ જાતિના નથી, લોકવ્યવહારમાં કુશલ નથી, ઔચિત્ય જાણતા નથી એમ વિવિધ રીતે ગુરુને કહે, ગુરુના ઉપચાર-વિનયમાં ન વર્તે, અહિતકારક, છિદ્રપ્રેક્ષી-છિદ્રોને જોનાર, પ્રકાશવાદીસર્વસમક્ષ ગુરુના અછતા દોષો કહે, તથા સર્વદા અનુકુલ ન હોય. સાધુઓનો અવર્ણવાદ આ પ્રમાણે બોલે
अविसहणातुरियगई अणाणुवत्ती य अवि गुरुणंपि। खणमेत्तपीइरोसा गिहिवच्छलगा य संचइया ॥
આ સાધુઓ અસહનશીલ છે, કારણ કે તેઓ એક બીજાને સહન કરતા નથી, તેથી એક બીજાની સ્પર્ધાથી દેશાન્તરમાં ભ્રમણ કરે છે, નહિ તો એક સ્થળે બધા ભેગા મળીને કેમ ન રહે? તથા અત્વરિત ગતિવાળા-હમેશાં કપટવડે લોકોને આકર્ષિત કરવા માટે મન્દગતિએ ચાલે છે. ગુરુ-મોટાઓને અનુસરતા નથી, કારણ કે સ્વભાવથી નિષ્ફર છે, વળી ક્ષણમાત્રમાં રૂષ્ટ અને તુષ્ટ થાય છે. ગૃહી-ગૃહસ્થો ઉપર વાત્સલ્ય-પ્રેમ રાખનારા અને સંચિ:' સર્વ વસ્તુઓનો સંચય કરનારા છે. માયાવી સંબન્ધ કહે છે–
गूहइ आयसभावं छायइ गुणे परस्स संते वि। चोरोव्व सव्वसंकी गूढायारो वितहभासी ॥
પોતાના સ્વભાવને (દુષ્ટ સ્વભાવને) ઢાંકે છે, અને બીજાના છતા ગુણોનું આચ્છાદન કરે છે, ચોરની પેઠે સર્વની શંકા રાખનાર, ગૂઢ આચારવાળો અને વિતથભાષી-અસત્ય બોલનાર હોય છે.
“તિરઝિયા' દેશવિરતિવાળા ગાય, બળદ વગેરે પંચેન્દ્રિય તિર્યંચોનો, ‘માનવિયાણ' આજીવક–પાખંડ વિશેષમતવિશેષ, ગોશાલકના મતને અનુસરનારા, અથવા ‘માનીતિ'જેઓ અવિવેકથી લબ્ધિ, પૂજા અને ખ્યાતિ ઇત્યાદિ વડે
- 127