________________
वीसइमं अंतकिरियापयं वीसइमपयस्स चउत्थं उव्वट्टदारं
श्री प्रज्ञापना सूत्र भाग २ नेरइए णं भंते! नेरइएहितो अणंतरं उव्वट्टित्ता मणुस्सेसु उववज्जेज्जा? गोयमा! अत्थेगतिए उववज्जेज्जा, अत्थेगतिए णो उववज्जेज्जा। जे णं भंते! उववज्जेज्जा से णं केवलिपन्नत्तं धम्मं लभेज्जा सवणयाए? गोयमा! जहा पंचिंदियतिरिक्खजोणिएसु जाव-जे णं भंते! ओहिनाणं उप्पाडेज्जा से णं संचाएज्जा मुण्डे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए? गोयमा! अत्थेगतिए संचाएज्जा, अत्थेगतिए णो संचाएज्जा। जे णं भंते! संचाएज्जा मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए से णं मणपज्जवनाणं उप्पाडेज्जा? गोयमा! अत्थेगतिए उप्पाडेज्जा, अत्थेगतिए णो उप्पाडेज्जा। जे णं भंते! मणपज्जवनाणं उप्पाडेज्जा से णं केवलनाणं उप्पाडेज्जा?. गोयमा! अत्थेगतिए उप्पाडेज्जा, अत्थेगतिए णो उप्पाडेज्जा। जेणं भंते! केवलनाणं उप्पाडेज्जा से णं सिज्झेज्जा बुज्जेज्जा मुच्चेज्जा सव्वदुक्खाणं अंतं करेज्जा? गोयमा! सिज्झेज्जा जाव सव्वदुक्खाणमंतं करेज्जा। नेरइए णं भंते! नेरइएहितो अणंतरं उव्वट्टित्ता वाणमंतर-जोइसिय-वेमाणिएसु उववज्जेज्जा? गोयमा! नो इणट्टे समढे Iટૂ-બાપ૬૦ને. (મૂળ) હે ભગવન! નરયિક નરયિકોથી નીકળી પછીના ભવમાં મનુષ્યોમાં ઉત્પન્ન થાય? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન થાય
અને કોઈ ઉત્પન્ન ન થાય. હે ભગવન્! જે ઉત્પન્ન થાય તે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને શ્રવણ રૂપે પ્રાપ્ત કરે? હે ગૌતમ! જેમ પંચેન્દ્રિય તિર્યંચો સંબંધે કહ્યું તેમ કહેવું યાવત્ “જે અવધિજ્ઞાનને ઉત્પન્ન કરે તે મુંડ-ત્યાગી થઈને અગારવાસથી અનગારીપણું–સાધુપણું સ્વીકારવાને સમર્થ થાય? હે ગૌતમ! કોઈ સમર્થ થાય અને કોઈ ન થાય. હે ભગવન્! જે કંડ થઈને અગારવાસથી અનગારીપણું સ્વીકારવાને સમર્થ થાય તે મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન કરે? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ઉત્પન્ન ન કરે. હે ભગવન! જે મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન કરે તે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે? હે ગૌતમ! કોઈ ઉત્પન્ન કરે અને કોઈ ઉત્પન્ન ન કરે. હે ભગવન્! જે કેવલજ્ઞાન ઉત્પન્ન કરે તે સિદ્ધ થાય, બુદ્ધ થાય, મુક્ત થાય અને સર્વ દુઃખનો અન્ન કરે? હે ગૌતમ! સિદ્ધ થાય, યાવતું સર્વ દુઃખનો અન્ત કરે. હે ભગવન્! નરયિક નૈરયિકોથી નીકળી પછીના ભાવમાં વ્યત્તર, જ્યોતિર્ષિક અને વૈમાનિકોમાં ઉત્પન્ન થાય? છે
ગૌતમ! એ અર્થ સમર્થ નથી. //પા૫૬૦. (ટી.) “નેરા અંતે'! ઇત્યાદિ સૂત્ર સુગમ છે. પરન્તુ તિ નત્તિ ઘમૅ મેન્ગા સવળવાઈ' કેવલજ્ઞાનીએ ઉપદેશેલા કૃતધર્મ અને ચારિત્રરૂપ ધર્મને શ્રવણરૂપે પ્રાપ્ત કરે એટલે તેનું શ્રવણ કરે? અહીં “શ્રવણતા શ્રવણશબ્દનો ભાવપ્રવૃત્તિનિમિત્ત શ્રવણ જ સમજવું, ‘માવે ત્વતતી' એ સૂત્રમાં તે શબ્દસ્વરૂપનો ભાવ-પ્રવૃત્તિનિમિત્ત એવું પણ વ્યાખ્યાન કરેલું છે. ભગવાન્ ઉત્તર આપે છે–પ્રત્યેતિ' ઇત્યાદિ. કોઈ શ્રવણ કરે અને કોઇ શ્રવણ ન કરે. પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! જે કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મનું શ્રવણ કરે ‘સે વનિં વોહિં ગુન્સેન્ના' ઇતિ. તે કેવલી એ કહેલા બોધિને જાણે? અહીં બોધિ એટલે ધર્મની પ્રાપ્તિ, તેના કારણભૂત જે શબ્દરચના, તે પણ કારણમાં કાર્યનો ઉપચાર કરવાથી બોધિ કહેવાય છે. તેને કેવલજ્ઞાનીએ સાક્ષાત્ અથવા પરંપરાએ ઉપદેશ કરેલો હોવાથી કેવલજ્ઞાની સંબન્ધી કહેવાય છે. અર્થાત્ કેવલજ્ઞાનીએ ઉપદેશેલ બોધિ-ધર્મને શ્રવણ કરનાર કેવલજ્ઞાનીએ ઉપદેશેલા ધર્મને સમજે એટલે તેનો અર્થ જાણે? ભગવાન્ ઉત્તર આપે છે‘ત્યેતિ' ઇત્યાદિ. કોઈ જાણે અને કોઈ ન જાણે. પુનઃ પ્રશ્ન કરે છે–હે ભગવન્! જે કેવલજ્ઞાનીએ કહેલા ધર્મને અર્થથી જાણે તે અર્થથી “શ્રીત તેની શ્રદ્ધા કરે, “પ્રત્યયે' તેની પ્રતીતિ કરે, “રેવત’ રુચિ કરે– હું તે કરવા ઇચ્છું છું એવો વિચાર કરે? ભગવાન્ ઉત્તર આપે છે–“મન્થારૂપ' ઇત્યાદિ. કોઈ રુચિ કરે અને કોઇ ન કરે. પુનઃ પ્રશ્ન કરે છે કે હે ભગવન્! જે શ્રદ્ધા કરે, પ્રતીતિ કરે અને રુચિ કરે તે આભિનિબોધિક અને શ્રુતજ્ઞાન ઉત્પન્ન કરે? ભગવાન્ કહે છે–હે ગૌતમ! ઉત્પન્ન કરે. અહીં હન્ન અનુમતિના અર્થમાં છે. કેવલજ્ઞાનીએ કહેલા ધર્મના શ્રવણ અને શ્રદ્ધા કરવાથી આભિનિબોર્ધિક અને શ્રુતજ્ઞાન
_ 117