________________
અદ્રિતીય અમદાવાદ
૯
થયા. મુસ્લિમ અમલ દરમ્યાન ‘શહેર મુજમ' (મહાન નગરી તરીકે ખ્યાતિ પામેલ અમદાવાદનું નૂર વચ્ચેના સેંકમાં ઝાંખું પડેલું, તે પાછું ચમકવા લાગ્યું. અમદાવાદની સ્થાપના અંગેની એક લોકોક્તિ બહુ જાણીતી છે:
જબ કુત્તે પર સસ્સા આયા
અહમદશાહને શહર બસાયા. શિકારી કૂતરા સસલાની પાછળ પડવાને બદલે આ ભૂમિ પર સસલાને શિકારી કૂતરાનો સામનો કરવું જોયું ત્યારે અહમદશાહને થયું હશે કે આ ભૂમિમાં અનોખું દૈવત દેખાય છે, માટે અહીં જ શહેર વસાવીએ.આ દંતકથાને ઇતિહાસનો આધાર નથી, પરંતુ તેના મૂળમાં આ ઐતિહાસિક શહેરના લોકોની અનોખી શક્તિએ ઊભી કરેલી છાપ હશે એમ અનુમાન કરીશું તો ખોટું નહીં ગણાય. મહાજનની મર્યાદામાં રહીને સમૃદ્ધિ પેદા કરવી અને બહારનાં તત્ત્વોને તેમાં પ્રવેશ કરવા ન દેવો પછી ભલે તે ગમે તેવાં બલિષ્ઠ હોય, એવી આ પ્રજાની પ્રકૃતિ છે. શાંતિદાસ ઝવેરીએ ઔરંગજેબ જેવા ધર્મોધ બાદશાહ પાસેથી તીર્થ રક્ષાનું ફરમાન મેળવ્યું; લક્ષ્મીચંદે પિતાની ગાદી મેળવવા બંડ કરનાર મુરાદને હિંમત કરીને મોટી રકમ ધીરી; ખુશાલચંદે સૂબાની સામે બાકરી બાંધી અને મરાઠાઓને અમદાવાદને ઘાલેલો ઘેરો ઉઠાવી લેવા સમજાવ્યા. બેતાળીસની ક્રાન્તિ વખતે ભારતભરમાં અજોડ એવી ત્રણ મહિનાની હડતાળ મિલમાલિક અને મજૂરોની પરસ્પર સંમતિથી સધાય એવી યોજના કસ્તૂરભાઈએ અને ખંડુભાઈએ મળીને કરી; મહાગુજરાતના આંદોલન વખતે જનતા કફનો અભિનવ પ્રયોગ થયો, નેહરુ જેવા નેહરુની સભામાં ભાગ લડ્યા ને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા ફકર નેતાની સભામાં માનવમહેરામણ ઊપડ્યો. આ બધું અમદાવાદમાં જ બની શકે ૨•
શહેરના સ્વમાન આગળ શાસકોને ઝૂકતા કરવાની ઠંડી તાકાત અમદાવાદની પ્રજામાં પહેલેથી રહેલી છે. ગાંધીજી અને સરદારનું પડખું સેવાતાં તેની ગજવેલ ર પાણીદાર બની. સરકારની શેમાં તણાવું નહીં અને તેની મદદ માટે હાથ જોડીને બેસી રહેવું નહીં એ ઘણુંખરું તેની નીતિ બની રહી.
સ્વાશ્રય અને સહકારના છોડને ગાંધીજીની આ તપોભૂમિનાં હવાપાણી સારી પેઠે સદી ગયાં છે તેનું જવલંત દૃષ્ટાંત સહકારી ગૃહમંડળીઓની પ્રવૃત્તિ
Scanned by CamScanner