________________
અદ્રિતીય અમદાવાદ
૭
ની માગ હતી કે કરોથી પીકિંગ સુધીની બજારોમાં તેનું વેચાણ થતું. રેશમી ૨ સોનેરી ભરતકામની વસ્તુઓમાં તો અમદાવાદ વેનિસ અને સિસિલીની Sખરો કરતું. આફ્રિકાના કિનારા પર આ વસ્તુઓનાં સોગણાં દામ ઊપજતાં. લયાનો ભાએ જ એવો દેશ હશે, જેની સાથે અમદાવાદને વેપારી રાંબંધ ન હોય. સ્થાપત્યો, રસ્તાની બાંધણી, હુન્નર-ઉદ્યોગ, વેપાર તેમ જ સમૃદ્ધિ અને વસ્તીને કારણે અમદાવાદ દેશભરમાં અદ્રિતીય ગણાતું.
૧૪૭૧માં મહંમદ બેગડો જૂનાગઢ જીતવામાં રોકાયેલો હતો, ત્યારે તે જમાલુદ્દીન નામના માણસને મુહાફિઝખાનો ઇલકાબ આપીને અમદાવાદનો
જદાર બનાવ્યો હતો. તેણે ટૂંકા ગાળામાં જ પાંચસો ચોરોને ફાંસી આપેલી. તે સત્તરસો હથિયારબંધ સૈનિકોને સાથે લઈને ફરતો. પાછળથી તે અમદાવાદનો સગો બનેલો. લોકે તેના અમલ દરમ્યાન ખુલ્લે બારણે સૂતા. એનું ઘર ઘીકાંટે હતું ને તેનો મક્ટરો પણ ત્યાં જ છે.૧૩
મહંમદ બેગડાનો પુત્ર મુજફફરશાહ હતીમ દારૂનો વિરોધી હતો. તેણે માદક પીણાં પર પ્રતિબંધ મૂક્યો. એક દિવસ તેનો માનીતો ઘોડો માંદો પડ્યો. તેને કોઈ દવા લાગુ ન પડી, એટલે દારૂ પાયો અને તે સાજો થયો. સુલતાનને આ વાતની જાણ થઈ ત્યારે તે બહુ દુ:ખી થયો. પછી તે એ ઘોડા પર કદી બેઠેલો નહીં એમ કહેવાય છે. ગુજરાતના એ દિવસો દારૂબંધીના હતા એમ જેમ્સ ડગલાસે નોંધ્યું છે.
૧૫૭૩માં અકબરે ગુજરાત જીતી લીધું ત્યારથી મુઘલ હકૂમત શરૂ થઈ. અક્કર બે વખત અમદાવાદ આવીને બબ્બે અઠવાડિયાં રહી ગયેલો. ૧૬૧૭માં જહાંગીરે અમદાવાદની મુલાકાત લીધી ત્યારે તેને ટૂંટિયાનો તાવ લાગુ પડેલો. આથી ચિડાઈને તેણે અમદાવાદને ‘ગર્દાબાદઅને 'જહન્નમાબાદ' જેવાં વિશેષણોથી નવાજવું હતું. છતાં તેને કંકરિયાની હવા પસંદ હતી. કાંકરિયા પર એક સંન્યાસીની મસ્કૂલમાં પ્રવેશીને તેની સાથે તેણે વાર્તાવિનોદ કરેલો. જહાંગીર ભદ્રના કિલ્લેબી નૂરજહાંને બળદગાડીમાં લઈને કોઈ વાર એકલો ફરવા નીકળતો. નૂરજહાંનો ભાઈ અજીમંદખાં અમદાવાદનો હતો. તેની પુત્રી અર્જુમંદબાનુ તે જ પાછળથી ખ્યાતિ પામેલી શાહજહાંની બેગમ મુમતાજ. શાહજહાં અને મુમતાજનું પ્રથમ મિલન અમદાવાદમાં થયેલું.૧૫
Scanned by CamScanner