________________
અદિતીય અમદાવાદ
,
સાતે બજાર અને માલિક વચ્ચેના ઝઘડાની પતાવટ માટે ગાંધીજીની પ્રેરણાની મજા મહાજન અપાયું. તેનાથી અમદાવાદમાં ઔદ્યોગિક શાંતિ જળવાઈ રહી છે. તે મહાજનની જૂની પ્રથાની આધુનિક યુગમાં અસાધારણ શક્તિ ગણાવી ઈિએ,
જૂની પરંપરાને જાળવી રાખવા સાથે નવાં પરિબળોને પોતાની રીતે બીલીને ખીલતી જતી આ નગરી છે. તેની સંસકૃતિમાં જુના અને નવાનું અદ્ભુત મિશ્રણ જોવા મળે છે. ભૂતકાળનું વર્તમાનમાં સાત અમદાવાદમાં દેખાય છે તેટલું સ્પષ્ટ ભારતની બીજી કોઈ નગરીમાં ભાગ્યે જ જોવા મળશે.
સાબરમતીને બે કાંઠે વસેલા અને વિસ્તરતા જતા અમદાવાદનો ઇતિહાસ પાંચ-છ સૈકાથી લાંબો નથી. આજના અમદાવાદના સ્થાને અગિયારમી સદીમાં છ લાખ ભીલોના સરદાર આશા ભીલે વસાવેલી આશાપલ્લી નગરી હતી. વેપાર અને સમૃદ્ધિમાં તે પાટણ અને ખંભાત પછી ત્રીજે નંબરે ગણાતી. સિદ્ધરાજના પિતા કર્ણ સોલંકીએ અગિયારમી સદીના છેલ્લા પાદમાં આશા ભીલને હરાવીને આશાપલ્લી જીતી લીધું અને ત્યાં કર્ણાવતી વસાવ્યું. ઉદયન મંત્રીએ પાછળથી કલિકાલસર્વજ્ઞ તરીકે ખ્યાતિ પામેલ હેમચંદ્રાચાર્યને અહીં ઉછેરેલા. બારમી સદીમાં જૈન સાધુઓ અને મંદિરોને કારણે કર્ણાવતી પ્રથમ પંક્તિની સંસ્કારનગરી તરીકે ખ્યાતિ પામેલું. હસ્તકળાના હુન્નરોને કારણે તે વેપારનું પણ મોટું મથક બન્યું હતું. અહીં તૈયાર થયેલ માલની ભરૂચ અને ખંભાત બંદરેથી નિકાસ થતી.
તેરમી સદીના અંતભાગમાં અલ્લાઉદ્દીન ખિલજીએ ગુજરાત જીતી લઈને તેને સૂબાઓની હકૂમત નીચે મૂક્યું. એક સૈકો અંધાધૂંધી ચાલી તેમાં પાટણ અને કર્ણાવતીનાં તેજ વિલાઈ ગયાં.
ઈ. સ. ૧૩૯૬માં સૂબા ઝફરખાન મુજફફરશાહ નામ ધારણ કરીને ગુજરાતના સ્વતંત્ર સુલતાન તરીકે પોતાની હકૂમત સ્થાપી. ૧૪૧૦માં તેનો પત્ર અહમદશાહ પાટણની ગાદીએ આવ્યો, ત્યારે પાટણની જાહોજલાલી ફિક્કી પડી ગઈ હતી.
અહમદશાહ બાળપણમાં વારંવાર કર્ણાવતીની મુલાકાતે આવતો. ત્યાંનાં હવાપાણી તેને ખૂબ ગમતાં. સરખેજના સંત શેખ અહમદ ખટુ ગંજબક્ષની
Scanned by CamScanner