________________
૨૬ / ડિલેહા
ઉપરાંત વ્યાકરણ, ન્યાય, છંદ, કાવ્યાલંકાર, યેતિષ વગેરે શાસ્ત્રોને પણ સારો અભ્યાસ કર્યો હશે, એમ એમને ગ્રંથ વાંચતાં જણાય છે. વળી, એમણે 'ગ્ર થાર'ભમાં પૂર્વ કવિએ છપ્પષ્ણુય, પાદલિપ્તસૂરિ, શાતવાહન (હાલ ), ગુણુાઢત્વ, વ્યાસ, વાલ્મીકિ, બાણુ, વિમલસૂરિ, દેવગુપ્ત, ખંદિક, હરિવ, પ્રભંજન, જડિલ, રવિષેણુ, હરિભદ્રસૂરિ વગેરેની સ્તુતિ કરી છે તથા ગૌરવશાલી ગ્રંથરચના વડે ‘· અભિમાન', સાહસ ' અંકવાળા કવિઓનુ પણ સ્મરણ કર્યું.
"
'
‘ પરાક્રમ ’ અને
છે. એ પરથી એ મહાકિવઓની કૃતિએથી પોતે પરિચિત હોય એ સ્વાભાવિક છે. તદુપરાંત, સામુદ્રિકવિદ્યા, વૈદ્યક, અશ્વપરીક્ષા, ધાતુવાદ, ભાષાલક્ષણ વગેરે ઘણા ભિન્નભિન્ન વિષયોના અભ્યાસ એમણે કર્યા હશે, એમ ‘ કુવલયમાલા ' વાંચતાં જણાય છે.
*
'
ઉદ્યોતનસૂરિએ કુવલયમાલા 'માં એના રચનાસમયના સ્પષ્ટ
'
નિર્દેશ કર્યા છે. તેએ પ્રાન્ત ભાગમાં લખે છે
सगकाले वोलणे वरिसाण सएहिं सत्तहिं गएहिं । ા-વિમેનૂળહિં રા અવરજ્-વેજાણ્ ||
*
*
तत्थ ठिएणं अह चोद्दसीए चेत्तस्स कण्ह - पकखम्मि | णिम्मविया बोहिकरी भव्वाण' होउ सव्वाण |
*
એટલે કે શક સંવત ૭૦૦ પૂર્ણ થવામાં એક દિવસ બાકી હતા ત્યારે ચૈત્ર વદ ૧૪ને દિવસે ત્રીજા પહેારે આ ગ્રંથની રચના તેમણે પૂર્ણ કરી હતી. આ સમય એટલે વિક્રમ સંવત ૮૩૫ના ચૈત્ર વદ ૧૪ ને દિવસે, ઈ. સ. ૭૭૯ના માની ૨૧મી તારીખે આ ગ્રંથની રચના પૂર્ણ થઈ છે.
‘ કુવલયમાલા 'ની રચના અંગે કવિએ જેને વારંવાર નિર્દેશ ગ્ર ંથસમાપ્તિની કંડિકામાં કર્યો છે તે હી. દેવીએ પેાતાને કરેલી સહાય