________________
હેમચન્દ્રાચાર્ય / ૬૧ વિધિપૂર્વક આચાર્ય પદે સ્થાપ્યા અને એમનું નામ પાડવામાં આવ્યું હેમચન્દ્ર. એ સમયે હેમચન્દ્રાચાર્યની માતા, જેમણે પણ પાછળથી દીક્ષા લીધેલી છે તે હાજર હોય છે. માતાપુત્ર બંને આ રીતે સાધુ
જીવનમાં એકબીજાને નિહાળી પ્રસન્નતા અનુભવે છે. હેમચન્દ્રાચાર્ય પિતાની માતાને એ વખતે પ્રવતિનીનું પદ અપાવે છે.
અહીંથી હવે હેમચન્દ્રાચાર્યને કીર્તિકાળ શરૂ થાય છે. પાટણમાં તે સમયે સિદ્ધરાજ(કેમાં જાણીતા સધરા જેસંગ)નું રાજ્ય ચાલતું હતું. એ સમયે હેમચન્દ્રાચાર્ય દેવસૂરિ સાથે પાટણમાં આવે છે અને બનારસથી આવેલ કુમુદચન્દ્ર સાથે ધર્મચર્ચામાં ભાગ લે છે. ત્યારથી સિદ્ધરાજને હેમચન્દ્રાચાર્યની પ્રતિભાને પરિચય થાય છે. તે સમયે સિદ્ધરાજની વિદ્વત્સભામાં રાજકવિ તરીકે શ્રીપાલને સ્થાન હતું, અને રાજપંડિત તરીકે દેવબોધિને સ્થાન હતું, એ બન્નેને એકબીજા પ્રત્યે તેજેષ હતું અને એકંદરે રાજાને એ બંનેથી અસંતોષ હતે. એટલે સિદ્ધરાજે પોતાની વિસભામાં એ બંનેને બદલે હેમચન્દ્રાચાર્યને સ્થાન આપ્યું.
ત્યાર પછી સિદ્ધરાજે માલવા પર ચઢાઈ કરી. એમાં એમને ફત્તેહ મળી. માલવાની અઢળક સમૃદ્ધિ ગુજરાતમાં લાવવા સાથે એના માણસે માલવાથી ગાડાંનાં ગાડાં ભરી હસ્તપ્રત પણ લાવ્યા. એમાં સિદ્ધરાજે ભજવ્યાકરણની પ્રત જોઈ પંડિતોને પૂછયું ગુજરાતમાં ક્યાંક “ભેજ વ્યાકરણ, ક્યાંક ક્યાંક કા તંત્રનું વ્યાકરણ ચાલતું હતું. ગુજરાત પાસે પોતાનું કહી શકાય એવું વ્યાકરણ રચવાને માત્ર હેમચન્દ્રાચાર્ય સમર્થ છે એમ પંડિતોએ જણાવ્યું અને સિદ્ધરાજે હેમચન્દ્રાચાર્યને એવું વ્યાકરણ રચવાની વિનંતિ કરી. એ માટે કાશ્મીરથી અને હિંદના બીજા ભાગમાંથી ભિન્ન ભિન્ન વ્યાકરણની પ્રતે સિદ્ધરાજે મંગાવી આપી. એને સતત અને ઊંડે અભ્યાસ કરી હેમચન્દ્રાચાર્યે એક ઉત્તમ વ્યાકરણની રચના કરી. સિદ્ધરાજની વિનતિથી એ લખાયું માટે