________________
યશેવિજયજી -૧૪૧
કવિની વાણી સામાન્ય માણસાની વાણીથી કેવી જુદી પડીય છે તે બતાવતાં તેઓ કહે છે કે કવિ અને સામાન્ય માણસની ભાષા એક જ છે, પરંતુ કવિની પાસે શબ્દો ગાઠવવાની જે કલા છે તે સામાન્ય માણુસ પાસે નથી. અહીં ભીલડી અને નગરમાં વસનારી સ્રોનું દૃષ્ટાંન્ત આપવામાં આવ્યુ છે. વનમાં વસનારી ભીલડી આખી આંખ ઉઘાડીને સીધી જોશે, જ્યારે નગરની સ્ત્રી નયનકટાક્ષથી જોશે. ભીલડી ભાવ વગર જોશે, જ્યારે નગરની સ્ત્રી આંખ દ્વારા જ પેાતાના ભાવ વ્યક્ત કરશે.
અક્ષર તેહજ, તેહજ પદ, કવિ રચના કાંઈ અન્ય; દંગ ત્રિભાગ નાગરિજીĐ, પામરી લેઅણુ પુન્ન. કવિતા વિશે ખીજે એક સ્થળે કવિ લખે છે :
મુગધા પ્રૌઢા પરિ હુઈ, અથવા સર્વિ સુવિલાસ, હૃદય ગમ પતિ સમ મિલઇ, તે કવિ ઉચિત અસાસ. તર્ક વિષમ પણ સુકવતું વયણુ, સાહિત્યÛ સુકુમાર; અરિ ગજ ગંજન પણ યિત, નારી મૃદું ઉપચાર. નાના દુહામાં રહેલા ગહન અર્થ વિશે કવિ લખે છે :
છોટી તુકમ અરથ બહુ, દુહા કવિતા રાય; વિસ્તર પદ બલિ ખૂલનકું, માનું વામન કાય. છેટી તુમઇ અરથ બહુ, દુહા કરઇ કવિ રાય; પંચાલી કે ચીર જિ, ભાવ વઢત વિઢ જાઇ.
લલિતાદેવીનું વર્ણન કરતાં કવિએ લખ્યું છેઃ
સહસ નેત્રનું પણ મન હરઇ, નેત્ર ત્રિભાગ પ્રસાદ જુ કરઇ; કલા ચેઠે તસ અંગ વસઇ, ચ્યાર ચંદ સેવઇ તે મિસઇ.
જ ખૂસ્વામીની કથા એટલે વૈરાગ્યના અને સયમ–ઉપશમના મેાધની કથા; એટલે આ રાસમાં એવા મેધ આવે એ અત્યંત