________________
૨૬૨ / ડિલવા
કહૂ લ નવિ લાગઈ અ’ત્રિ, સેાન કિન્હષ્ઠ ન લાગઇ સખિ, માણિક મલ ન ઇસઇ સાર, સીલ ન ચૂકઇ વિમલ કુંઆર.
*
નાહન સીદ્ધ તણુઉ બાચડુ, મેાટા મયગલથી તે વડુ.
*
ખેલઇ ખેલઇ વાધઇ રાઢિ, કાંટઇ કાંટઇ વાધઇ વાડિ.
કલિયુગનું વર્ણન, રામનગરના સુલતાનની ખીખીઆના પ્રસંગ, ભનિયાના રાજા સાથેના યુદ્ધપ્રસંગ, વિમલને ચંદ્રાવતીમાં સત્કાર ઇત્યાદિ પ્રસંગાના નિરૂપણુમાં કવિ લાવણ્યસમયની વનશકિતને સારા પરિચય મળી રહે છે. ધર્મપદેશપ્રધાન આ કૃતિ હેાવાને કારણે એના પ્રધાન રસ શાંત હાય એ સ્વાભાવિક છે. તેમ છતાં કેટલાક પ્રસંગાના આલેખનમાં વીરરસ અને હાસ્યરસનું પણુ અચ્છુ નિરૂપણ થયું છે. આમ સમગ્રપણે મૂલવતાં ‘વિમલપ્રબંધ' આપણા મધ્યકાલીન સાહિત્યની અને વિશેષતઃ આપણા પ્રખ’ધસાહિત્ય'ની એક મહત્ત્વની કૃતિ છે એમ અવસ્ય કહી શકાય.
કવિ લાવણ્યસમયની લઘુકૃતિઓમાંથી નીચેની કેટલીકને પરિચય
કરીએ ઃ
કરસ‘વાદ-જૈનેાના પ્રથમ તીર્થંકર ભગવાન ઋષભદેવ વરસીતપના પારણે શ્રેયાંસકુમારને ત્યાં પધારે છે એ પ્રસંગે શ્રેયાંસકુમાર ભગવાનને ઈક્ષુરસ વહેારાવે છે. તે પ્રસ ંગે ભગવાનના બે હાથમાંથી કયા હાથ ભિક્ષા માટે આગળ આવે એ વિશે બંને હાથ વચ્ચે વિવાદ થાય છે, અને જમણેા અને ડાખેા બંને હાથ પાતાતાની મહત્તા બતાવવાના પ્રયત્ન કરે છે. છેવટે ખ'નેની મહત્તા બતાવી ભગવાન તે વચ્ચે સંપ કરાવે છે. આ કલ્પિત સંવાદની રચના કવિએ દેહરા અને ચાપાઈની ૭૦ કડીમાં કરી છે, જેમાં ચાતુરી અને વિનેના