Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay
View full book text
________________
૨૮૮ | પડિલેહ રચાયેલી ભિન્ન ભિન્ન રસ નિરૂપતી આ રાસકૃતિ કવિએ પોતાના મિત્ર લાડજીને સંભળાવવા માટે રચી હતી, એ પિતે રાસમાં જુદે જુદે. સ્થળે નિર્દેશ કર્યો છે.
મિત્ર લાડજી સુણિવા કાજી, વાંચી કથા વિડાલંબી રાજી, કહઈ વાચક મંગલમાણિક્ય, અંબડ કથા રસઈ અધિક્ય,
તે ગુરુકૃપા તણે આદેશ, પૂરા સાત દૂઆ આદેશ. સકલચંદ્ર ઉપાધ્યાય
ઈ. સ. સોળમા શતકના ઉત્તરાર્ધમાં અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન કવિ સકલચંદ્ર ઉપાધ્યાય પિતાની કૃતિઓમાં સુપ્રસિદ્ધ અકબર પ્રતિબંધક હીરવિજયસૂરિને પોતાના ગુરુ તરીકે ઓળખાવે છે, પરંતુ કોઈ વખત પિતાને વિજયદાનસૂરિના શિષ્ય તરીકે પણ ઓળખાવે છે. એટલે વિજ્યદાનસૂરિ એમના દીક્ષાગુરુ હેવાને સંભવ છે. કવિ સકલચંદ્ર ઉપાધ્યાયે “મૃગાવતી આખ્યાન', “વાસુપૂજ્ય જિન પુણ્યપ્રકાશ રાસ', ઉપરાંત “સાધુવંદના', “સતરભેદી પૂજા',
એકવીસ પ્રકારી પૂજા', “બાર ભાવના', “સક્ઝાય”, “વીર વર્ધમાન જિનેલિ', “ગણધરવાદ સ્તવન', “સાધુ કલ્પલતા ', “મહાવીર હીંચસ્તવન', “ઋષભ સમતા સરલતા સ્તવન', “વીરજિત સ્તવન, કુમતિષ વિજ્ઞાપ્તિકા', “શ્રી સીમંધર સ્તવન', ગૌતમપૃચ્છા', “વયરસ્વામી સઝાય”, “હીરવિજયસૂરિ દેશના સરવેલિ', “મુનિશિક્ષા સઝાય', “ચતુર્વિશતિ સ્તવન, પાર્શ્વનાથ સ્તવન' ઇત્યાદિ ઘણું બધુ કૃતિઓની રચના કરી છે.
કવિની મેટી કૃતિઓમાં ચેટક રાજાની પુત્રી સુપ્રસિદ્ધ સતી મૃગાવતીના ચરિત્ર વિશેની કૃતિ “મૃગાવતી આખ્યાન' છે. દુહા,ચોપાઈ, અને ભિન્નભિન્ન દેશીઓની ઢાળની ૭૨૫ જેટલી કડીમાં લખાયેલી આ રાસગૃતિ માટે કવિએ પોતે “આખ્યાન' શબ્દ પ્રયોજેલે છે.

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306