Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 286
________________ જૈન સાહિત્ય | ર૭૭ રચના ૨૮૦૦ જેટલી કડીમાં છે, જ્યારે “ઋષિદરા રાસની રચના ૮૫૦ જેટલી કડીમાં થઈ છે. “શૃંગારમંજરી' કવિની સમર્થ કૃતિ છે. કવિનું આલેખન રસિક અને ટાદાર છે. પ્રાસાનુપ્રાસાદિ શબ્દાલંકાર ઉપરનું કવિનું પ્રભુત્વ સહજ અને પ્રશસ્ય છે. જુઓ : સેવિન ચૂડી કરિ ધરી, ઉરવરિ નવસરહાર, ખલકતિ સેવિન મેખલા, પય ઝાંઝર ઝમકાર. વેણીદંડ પ્રચંડ એ, જિસુ શેષ ભુયંગ, અંગ અભંગ અનંગનું નાગ સુરંગ સળંગ, પીન પયોધર ભાર ભર, કટિ તટિ ઝીલું લંક, વિકસત ખંજન નયણલાં, ઘણું જિસિઉ ભૂર્વક | (શૃંગારમંજરી) હેમરત્નસુરિ પૂનમ ગરછના દેવતિલકસૂરિના શિષ્ય જ્ઞાનતિલકસૂરિના પદ્મરાજગણિના શિષ્ય હેમરત્નસૂરિએ રચેલી પાંચેક રાસકૃતિઓ ઉપલબ્ધ છે, જે હજુ અપ્રસિદ્ધ છે. તેઓ ઈ.સ. ના સોળમાં શતકના ઉત્તરાર્ધમાં વિદ્યમાન હતા. એમણે ઈ. સ. ૧૫૪૭ માં પાલી નગરમાં “શીલવતી કથાની રચના કરી છે. કથાના આરંભમાં કવિ લખે છે પૂનિમ છમતિ ગુણની શ્રી ન્યાનતિલક સૂરીસ. જસ પયપંકય સેવતાં પૂજયે સયમલ જગીસ, તસ પય પંકજ સુર સમ શ્રી હેમરતન સૂરદ સીલ કથા તણિએ કહી તમે જ રવિચંદ. હેમરત્નસૂરિએ એ જ વર્ષે “લીલાવતી' નામની બીજી એક રાસકૃતિની રચના કરી છે. ત્યારપછી (ઈ.સ. ૧૫૮૦) એમણે “મહીપાલ ચોપાઈ'ની રચના ૬૯૬ જેટલી કડીમાં કરી છે. ઈ.સ. ૧૫૯૧માં એમણે ગોરા -બાદલ કથા' (અપર નામ પદમણી પાઈ)ની રચના સાદડી નગરમાં કરી છે. આ કૃતિ ૯૧૭ જેટલી કડીમાં લખાયેલી છે. કથાની ફલશ્રુતિ

Loading...

Page Navigation
1 ... 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306