Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 287
________________ ર૭૮ | પડિલેહ વર્ણવતાં કવિ લખે છેઃ ગેરા બાદલની એ કથા, કહી સંણ પરંપરા યથા, સાંભળતાં મનવંછિત ફલે, રોગ સેગ દૂષ દેહગ ટલે. સાંમ ધરમ સા પુરસા હેઈ, સીલ દઢ ફુલવંતી જોઈ, હિંદુ ધમ સત પરમાણ, વાગા સુજસ તણું નિસાણ શ્રી હેમરત્નસૂરિએ “સીતાચરિત્ર' નામની પણ એક કૃતિની રચના કરી છે. જેમાં જૈન પરંપરાનુસારી રામસીતાની કથાનું સાત સર્ગમાં આલેખન કરવામાં આવ્યું છે. પાઈ, દુહા અને જુદી જુદી દેશી-- એની ઢાલમાં આ કૃતિ લખાયેલી છે. ત્રીજા સને અંતે કવિ જૈન. રામાયણ “પદ્મચરિત્ર' (પઉમરિય)ને નિર્દેશ કરે છે– પદમરાજ વાચક સુખસાઈ, પદ્મચરિત્ર ગ્રહી મનમાંહિ, હેમસરિ ઇમ જંપઈ વાત, ત્રીજા સરગ તણે અવદાત. મહીરાજ કવિ મહીરાજની અત્યાર સુધીમાં માત્ર એક જ કૃતિ ઉપલબ્ધ છે અને તે એમના પિતાના હસ્તાક્ષરમાં લખાયેલી નલદવદંતી રાસ, એની રચના કવિએ ઈ.સ ૧૫૫૬માં કરી છે. દુહા, એપાઈ અને જુદી જુદી ઢાળાની બધી મળીને સાડાબારસો કડીમાં કવિએ કરેલી આ રચનામાં કથાવિકાસ પ્રમાણે ખંડ પાડવામાં આવ્યા નથી. રાસની શરૂઆત કવિએ નલદવદંતીના પૂર્વભવના પ્રસંગેથી કરી છે. કથા-- વૃતાન્ત માટે કવિએ હેમચંદ્રાચાર્યના “ત્રિષષ્ટિશલાકા પુરુષચરિત્રને અને દેવપ્રભસૂરિના “પાંડવચરિત્ર' ને આધાર લીધેલું જણાય છે. કવિએ પ્રસંગાલેખન, પાત્રાલેખન, પ્રકૃતિવર્ણન અને દાનશીલાદિના. મહિમાના વર્ણનમાં નલ-દેવદતી વિશે રાસકૃતિની રચના કરનારા પિતાના પુરોગામી કવિઓ કરતાં વિશેષ શક્તિ દાખવી છે, જે કે: કેટલેક સ્થળે ઋષિવર્ધન જેવા કવિની આ રાસ ઉપર પડેલી છાયા પણું જોઈ શકાય છે. અલબત્ત, બીજી બાજુ કેટલેક સ્થળે કવિની

Loading...

Page Navigation
1 ... 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306