________________
૨૮૪ | પડિલેહા કેઈ એક પથિક નળરાજા પાસે આવી દંડકારણ્યની ઉત્પત્તિની વાત કરે છે, પરંતુ નયસુંદરે એ પ્રસંગ છોડી દીધું છે. નળની વિરહાવસ્થાનું વર્ણન “નલાયન’કારે આ સ્થળે એક શ્લેકમાં પતંગિયું, ભમર, હાથી વગેરેનાં ઉદાહરણ આપી કર્યું છે, તે નયસુંદરે તે માટે આઠ કડી પ્રજી છે, જુઓ
એ મદન રંગે મહિયા, પ્રાણ ત્યજે નિજ પ્રાણ, જે પંડિત ગુણમંડિતા ક્ષણ થાય તે અજાણ, પડતાં રે અમદા જાળમાં જળજતુ ને શિંગાળા, અતિ પીવરા જે ધીવરાતેહું પડે તતકાળ, ઈન્દ્રિ એ કેકી મેકળે, પ્રાણ લહે દુઃખ દેખિ, આલાન બંધનિ જગ પડો, લલુપી સપર્શ વિશેષ.
ઇમ એકે આચર્યા, વિષય દેય પંચત્વ, પાંચે પરગટ પરવશે, કિમ સુખે રહેશે સત્વ.
હંસ નળની કીર્તિનું વર્ણન કરે છે તે પ્રસંગનું નિરૂપણ કરતાં કવિ નયસુંદર પિતાની કલ્પના પ્રમાણે ઉમેરે કરે છે. બારેક કડીમાં કરેલા એ વર્ણનમાંથી થોડીક પંક્તિ જુઓ:
તવ કરતિ કન્યા જગમાંહી, રાજન ખેલ કરે ઉછાંહિ, ક્રિીડા ભૂમિ હિમાચલ કર્યા, પૂર્ણચન્દ્ર કંદુક કર ધર્યા. ખડખલિ ખીરેધદિ તાસ, શિકયા દિગ્ગજ દંતનિવાસ, ઓઢણિ સુરગંગા શશિમુખી, દેવી તેહની પ્રિય સખી.
એ જ હંસ દમયંતી આગળ નળની કીર્તિની પ્રશંસા કરે છે તે પ્રસંગના નિરૂપણમાં કવિની ઉચ્ચ કવિત્વશક્તિની આપણને પ્રતીતિ થાય છે
નિર્મળ નળ-કીરતિની તુલા નાવિ શશિ સંપૂરણ કલા. તે ભણું મૃગ કલંક સે વહી, એ ઉપમા કારણ કવિ કહિ,