Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 273
________________ ૨૬૪ / પડિલેહા ત્યાં સાધુ થયા પછી તરત ચાતુર્માસ રહેવાની ગુરુની આજ્ઞા થતાં સ્થૂલિભદ્ર કાશાને ત્યાં એ પ્રમાણે સપૂર્ણપણે કામવિજેતા બનીને રહેવા ઉપરાંત કામવિજેતા થઈ કારાને પણ સંયમ માટે પ્રતિખેાધ પમાડે છે એ ઘટનાનું નિરૂપણ કરવામાં આવ્યું છે. અંત મકની ચમત્કૃતિવાળી તથા પ્રાસની સ’કલનાવાળી તથા દેશીની કડીના છેલ્લા અર્ધા ચરણના ત્યાર પછીની કડીમાં આવનવાળી આ લઘુકૃતિ એના પ્રસંગનિરૂપણુની છટા તથા શબ્દમા ને લીધે આસ્વાદ્ય બની છે. જ નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ અને સેરિસા પાર્શ્વનાથ સ્તવ – કવિ લાવણ્યસમયે પેાતાની કૃતિઓમાં પેાતે જ નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ઈ.સ. ૧૫૦૬ માં નવપલ્લવ પાર્શ્વનાથ નામના તીની તથા ઈ.સ. ૧૫૦૬ માં સેરિસા પાર્શ્વનાથ નામના તીની એમણે યાત્રા કરી હતી અને એ બંને યાત્રા પ્રસ ંગે પાતે અનુક્રમે ૩૫ કડીની ‘નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવ' અને ૧૫ કડીની, સેરીસા પાર્શ્વનાથ સ્તવ’ નામની સ્તુતિના પ્રકારની રચના કરી હતી. આ ઉપરાંત પાર્શ્વનાથ ભગવાનનાં ખીન્ન ખે તીથ સ્થળેા તે અ ંતરીક્ષ પાર્શ્વનાથ અને જીરાઉલા પાર્શ્વનાથ વિશે પણ તેમણે રચનાઓ કરી છે. જ્ઞાનચંદ્ર સેારઠ ગચ્છના ક્ષમાચદ્રસૂરિની પર’પરામાં વીરચંદ્રસૂરિના શિષ્ય કવિ જ્ઞાનચંદ્રસૂરિની કથાસાહિત્ય પર નિર્ભર એવી ત્રણ કૃતિએ મળી આવે છેઃ (૧) વંકચૂલનેા પવાડઉ રાસ (ઈ.સ. ૧૫૧૧), (૨) વૈતાલ પચવીસી (ઈ.સ. ૧૫૩૯) અને (૩) સિંહાસન બત્રીસી (ઈ.સ. ૧૫૪૫). આ ઉપરાંત કવિએ ૧૮ કડીમાં ‘મિ-રાજુલ બારમાસી' કૃતિની પણુ રચના કરેલી છે. કવિની કૃતિએમાં એમની સિહાસન બત્રીસી' સૌથી વધુ નોંધપાત્ર છે. આ કૃતિની રચના ત્રણ ખંડમાં, ૧૦૩૪ કડીમાં કવિએ કરી છે. કવિની પાસે વાર્તાકથનની વેગવતી શૈલી છે. સ્થળે સ્થળ એમણે સુંદર, અલંકારયુક્ત વર્ણન આપ્યાં છે અને એમાં

Loading...

Page Navigation
1 ... 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306