________________
નળાખ્યાનનું કથાવસ્તુ | ૨૩૭ બાહુકનળની કરવામાં આવેલી વિવિધ પરીક્ષાઓનું કવિએ નિરૂપણ કર્યું છે. | ઋતુપર્ણ અને બાહુક ભીમકરાજાને ત્યાં આવી પહોંચે છે એ પ્રસંગે પણ કવિએ બાહુક પાસે ગ્રામ્ય વર્તન કરાવ્યું છે. શ્રોતાઓનું મનોરંજન કરાવે એવા આ નિરૂપણમાં કવિ પ્રેમાનંદે ઔચિત્યભાને ગુમાવ્યું છે એમ કહેવું પડે. નળના દેહમાં કલિ હતું ત્યાં સુધી એવા વર્તન માટે કલિને જવાબદાર ગણીને, કવિને બચાવ કંઈક કરી શકાય; પણ કલિ નીકળી ગયા પછી પણ, નળ પાસે આવું ગ્રામ્ય વર્તન કરાવવામાં, કવિએ ઔચિત્યદેષ વહોરી લીધો છે. એક રીતે કહીએ તે પ્રેમાનંદે સભારંજન માટે બાહુકના પાત્રને વધારે પડતો લાભ ઉઠાવ્યો છે, અને તે પણ બેવડી રીતે, બાહુકના પોતાના ગ્રામ્ય વર્તન દ્વારા અને અન્ય લેકનાં બાહુક પ્રત્યેનાં કટાક્ષવચનો દ્વારા. વળી, બાહુકના વર્તનના નિરૂપણમાં જેમ કવિએ ઔચિત્યને
ખ્યાલ રાખે નથી, તેમ અન્ય વ્યક્તિઓનાં આવાં કટાક્ષવચનેમાં પણ એણે એ ખ્યાલ રાખે જણાતું નથી,
બાહુક એ નળ છે કે કેમ તેની કસોટી કરવાના વિચારે તેને અહીં બોલાવી આણવામાં આવ્યું છે. તેમ છતાં, તેના કદરૂપા દેહ વિશે આ પ્રસંગે સુદેવ, દમયંતીની સખીઓ, ભાભી, ભીમક રાજા પિતે અને ખુદ દમયંતી પણ કટાક્ષવચને બોલે છે, જે અહીં એકેના મુખમાં શોભતાં નથી.
બાહુકની “વાજિ, વૃક્ષ, જલ, અનલ” એ ચાર પરીક્ષાઓ કર્યા પછી, એની પાસે બંને બાળકને મોકલવામાં આવે છે. પ્રેમાનંદ એ પ્રસંગનું નિરૂપણ વાસ્તવિક, હૃદયસ્પર્શી અને અસરકારક કર્ય" છે. કદરૂપે બાહુક જે નળ હોય તે? અને એ છે તેવો જ જે રહેવાને હેય તે? તે એની સાથે જીવન કેવી રીતે પસાર થાય? -પ્રેમાનંદે આ પ્રશ્ન ભાભીઓ દ્વારા મૂકે છે અને ત્યાં દમયંતીના