________________
જૈન સાહિત્ય / ૨૫૭
'
મૃગાંકલેખા સતીનું ચરિત્ર આલેખવાના છે અને આ દ્વારા શીલને મહિમા દર્શાવવાને છે. કવિ ગૌતમ ગણધરને પ્રણામ કરીને ‘સીલ સિરાણિ' એવી મૃગાંકલેખાના વૃત્તાન્તના પ્રારંભ કરે છે, ઉજ્જૈની નગરીના અવતીસેન રાજાના મંત્રી મતિસારની રૂપગુણવતી ધનિષ્ઠા પુત્રી મૃગાંકલેખાનાં લગ્ન સાગરચંદ્ર નામના શ્રેષ્ઠીપુત્ર સાથે થાય છે. પણુ કાઈક કારણે ગેરસમજ થવાથી તે મૃગાંકલેખાને ખેલાવતા નથી અને દેશાવર ચાલ્યા જાય છે. સાતેક વર્ષ એ રીતે વીત્યાં પછી ધર્મ ધ્યાનમાં સમય વિતાવતી મૃગાંકલેખાને સાગરચંદ્ર એક વાર દૈવી ગુટિકાની મદદથી રાતારાત લાંબું અંતર કાપી ગુપ્તપણે મળવા આવે છે અને પાછા ચાયા જાય છે. પરિણામે સગર્ભા બનેલી મૃગાંકલેખાતે અસતો ગણી કાઢી મૂકવામાં આવે છે. વનમાં તે પુત્રને જન્મ આપે છે અને કેટલેક સમયે એનેા પુત્ર પણ વનમાં ગુમ થઈ જાય છે. ત્યારપછી એક પછી એક સ`કટામાં આવી પડતી મૃગાંકલેખા એક યા બીજી યુક્તિથી પેાતાના શીલને બચાવે છે અને છેવટે પેાતાના સાગરચંદ્ર પુતિને અને પુત્રને મેળવે છે અને સુખમાં વર્ષો વીતાવે છે.
દુહા, ચાપાઈ, અને વિવિધ દેશીની ઢાલમાં રચાયેલી આ કૃતિમાં કવિ ઉપદેશપ્રધાન અદ્ભુતરસિક કથાવસ્તુ પ્રવાહી અને વેગવંતી શૈલીએ આલેખે છે. ‘નવપલ્લવ પાર્શ્વનાથ ફલશ ' નામની લઘુકૃતિમાં વિ વચ્છ ભંડારીએ સૌરાષ્ટ્રમાં આવેલા – મંગળપુર માંગરોળના પાર્શ્વનાથ ભગવાનની સ્તુતિ કરી છે,
લાવણ્યસમય
કવિ લાવણ્યસમય ઈ.સ. પંદરમા સૈકાના એક સ કવિ થઈ ગયા. વીર જિનેશ્વર કા શિષ્ય ગૌતમ નામ જપે નિશિ’ • એ સંક્તિથી શરૂ થતા એમના ગૌતમ સ્વામીના છંદ' આજ દિવસ સુધી જૈનામાં રાજેશજ ગવાતા આવ્યા છે, એટલે કે સાધ રહ્યુ જૈન સ ૪ આજે પણ યશાવિજયજી, આન ંદઘનજી, જિનહ" ઉદયરત્ન,
૧૭