Book Title: Padileha
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 264
________________ જૈન સાહિત્ય / ૨૫૫ ઉપદેશ આપે છે તે પ્રસંગ કવિએ સંક્ષેપમાં સરસ મૂકવો છે: ચંચલ યૌવન, ધન સંસાર, વિષ જિમ વિષય દુઃખ ભંડાર, જીવન ભાગિ તૃપત ન થાઈ, પુણ્ય પાપ બે સાથિ જાઈ. રાસની છેલ્લી બે કડીમાં કવિ પાતાની ગુરુપરંપરા, રાસની રચનાસાલ, રચનાસ્થળ અને ફલશ્રુતિ જણાવી રાસ પૂરા કરે છે. કવિના આ રાસ કદમાં નાનેા છે કારણકે એ સમયે હજુ લાંબા રાસ લખાતા નહિ, પરંતુ એથી કવિને પ્રસ ંગાના નિરૂપણમાં ઘણી ઝડપ રાખવી પડી છે, કયાંક તા માત્ર નિર્દેશ કરીને પણુ ચલાવવુ પડયુ છે. તેમ છતાં કવિ પાસે સારી નિરૂપણુશક્તિ છે એની આપણને પ્રતીતિ થાય છે. કવિના આ રાસની કેટલીક અસર નલદવદંતી વિશેના કેટલાક ઉત્તરકાલીન રાસ પર થયેલી જણાય છે. અાજિનદાસ સકલકીતિના શિષ્ય બ્રહ્મજિનદાસે ઈ.સ. ના પંદરમા સૈકાના ઉત્તરા માં કેટલીક રાસકૃતિઓની રચના કરી છે. બ્રહ્મજિનદાસ દિગંબર સંપ્રદાયના બ્રહ્મચારી હાય એમ જણાય છે. તેઓ પેાતાની કૃતિમાં ‘બ્રહ્મજિષ્ણુદાસ,’ અથવા · જિષ્ણુદાસ બ્રહ્મચારી.' ના નામથી પેાતાના ઉલ્લેખ કરે છે. તેએ ધણા વિદ્વાન હતા અને સંસ્કૃતમાં એમણે ‘ રામચરિત' નામના ગ્રંથ લખ્યા છે, જેમાં દરેક સને અંતે ‘ ભટ્ટારક શ્રી સકલકીર્તિ શિષ્ય બ્રહ્મચારી જિનદાસવિરચિત ’ એમ આપ્યું છે. દિગંબરામાં સાધુ થવા માટે પ્રથમ બ્રહ્મચારી થવું જોઈએ. જિનદાસ બ્રહ્મચારીની અવસ્થામાં હતા ત્યારે જ એમણે આ બધી કૃતિઓની રચના કરી છે. એમની રાસકૃતિમાં ‘ હરિવંશરાસ ’ (ઈ.સ. ૧૪૬૪), ‘ યશોધર રાસ' · આદિનાથ રાસ’, શ્રેણિક રાસ', કરકુંડ રાસ ', ' હનુમત રાસ' · સમકિત સાર’, સારાવાસાના રાસ' એટલા રાસ ઉપલબ્ધ છે. આ ઉપરાંત ધર્મ પચીર "" " '

Loading...

Page Navigation
1 ... 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306