________________
૨૫૪ / પડિલેહા
-નલદવદંતીની જૈન કથા એના પૂર્વ ભવાના વૃત્તાન્તથી-વીરમતી અને મમણુના ભવની અને ધણુ ધૂસરીના ભવની કથાથી શરૂ થાય છે અને કવિએ પણ એ જ પ્રમાણે આલેખન કર્યું છે. પરંતુ કવિએ આરંભના ભાગમાં જ પ્રયેાજેલી નલદવદંતીના માહાત્મ્યને વર્ણવતી નીચેની કડી કેટલીક ઢાલાની ધ્રુવકડી તરીકે પણ પ્રત્યેાજેલી જણાય છે. કદાચ લહિયાએએ પણ એ પ્રમાણે કર્યું... હાય
પુણ્ય સિલેક નલહવિખ્યાત, મહાસતી ભીમી અવાત; જિમ જિમ શ્રવણે સુણીઈ છેક, તિમતિમ નગઈ ધર્મ વિવેક,
નલદવદંતીના પૂર્વભવના આલેખન પછી દુહામાં નળનું અને -‘ઉલાલાની ઢાલ”માં દેવદતીનું ચિત્ર કવિએ ખડું કર્યું છે. આછી છતાં કાવ્યગુણુયુક્ત પંક્તિઓમાં આ આલેખન થયું હાવાથી તે ક ંઈક વિશિષ્ટતાવાળું બન્યુ છે. નિષધ રાજાના રાજ્યની સમૃદ્ધિનું અને નળના જન્મમહેાત્સવનુ` કવિએ કરેલું વર્ણાનુપ્રાસયુક્ત વર્ણન પણ ધ્યાન ખેંચે એવું છે. યૌવન ચડીય સંપૂરઈ, તિરંભા મદ ચૂરઈ’ એવી દંતોનું સ્વયંવરમંડપમાં આગમન થયું, તે સમયનું કવિએ આલેખેલું ચિત્ર પણ મનેાહર છે. નલદવદંતીના લગ્નપ્રસંગના નિરૂપણમાં કવિના સમયની લગ્નવિધિનું પ્રતિબિમ્બ પડેલું. જણાય છે. નવરંગ ચૂંદડી. એઢી નળરાજાનું એની બહેને લૂણુ ઉતાર્યું” એવે અહી” કવિએ કરેલા નિર્દેશ સામાન્ય રીતે નળદમયંતી વિશેની અન્ય કૃતિમાં જોવા મળતા નથી. વનમાં નળદમયતી વિખૂટાં પડે છે તે ઘટના પછી નળની તપાસ માટે ભીમક રાજાએ મેકલેલા બ્રાહ્મણુ નળદમયંતીની કથાનુ નાટક ભજવીને હુંડિક એ જ નળ છે એમ શોધી કાઢે છે તે વિષે વધુ વેલી ઘટના જૈન પરંપરાની નલકથામાં નથી. પરંતુ કવિએ તે રામચન્દ્રસૂરિના નવિલાસ નાટક'માંથી લીધેલ જણાય છે. નળ છેવટે ભૌતિક સુખમાં જીવન પસાર કરે છે તે સમયે એને એના સ્વર્ગસ્થ પિતા નિષધ દેવલાકમાંથી આવીને