________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૪૫ આશયથી એણે કર્યા નહિ હોય, પણ તે સહજ રીતે થઈ ગયા હશે. આ બધા ફેરફારાથી, કયારેક રસક્ષતિ કે પાત્રહાનિ થઈ છે છતાં, એકંદરે “નળાખ્યાન'નળદમયંતી વિશેની આખ્યાન કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ કૃતિ બની છે, અલબત્ત, આ સફળતા મેળવવાને યશ કથાકાર પ્રેમાનંદને જેટલું છે એથી વધુ કવિ પ્રેમાનંદને છે.