________________
૨૪ પડિલેહ રસિક બન્યું છે અને એનું નિરૂપણ વધારે જીવંત બન્યું છે એમ લાગ્યા વગર રહેશે નહિ. ભાલણ, નેકરની કૃતિઓ વાંચતાં જાણે આપણે દૂરના ભૂતકાળની કઈ કથા વાંચતાં હોઈએ એવું લાગે છે, જ્યારે પ્રેમાનંદે નિરપેલી કથા જાણે આપણી નજર સમક્ષ અત્યારે બની રહી હોય એવી તરવરી રહે છે અને આપણે એમાં એકદમ ઓતપ્રોત બની જઈએ છીએ.
પ્રેમાનંદ સૌથી વધુ કુશળ વાર્તાકાર છે એટલે કથાવસ્તુની સંકલન કેવી રીતે કરવી, કથાપ્રસંગને ક્યાં મૂકો અને એને કેટલું મહત્તવ આપવું તે એ બરાબર જાણે છે; વળી દરેક પ્રસંગને માંડીને. રસિક રીતે કેમ ખીલવો એ પણ તે બરાબર જાણે છે. એ રસસ્થાનેને સાચે પારખુ છે; અને તેથી એમને ખીલવવાની એક પણ તક તે જતી કરતું નથી. અલબત્ત, રસના પ્રવાહમાં તણાઈને એ કેટલીકવાર અતિશક્તિભર્યું ઉત્કટ આલેખન કરે છે અને તેમ કરવા જતાં કેટલીક વાર ઔચિત્યનું ભાન ગુમાવે છે અને પાત્રોના ગૌરવને હાનિ પહોંચાડે છે.
આમ, પ્રેમાનંદના નળાખ્યાનના કથાવસ્તુની સંજનામાં ઘણું તને ભાગ ભજવ્યો છે. પ્રેમાનંદે મહાભારતની પરંપરાપ્રાપ્ત સાંભળેલી નળદમયંતીની કથામાં એક તરફ પોતાના પુરોગામી આખ્યાનકાર ભાલણ અને નાકરના નળાખ્યાનમાંથી લીધેલું કેટલુંક ઉમેરણ કર્યું છે તે બીજી બાજુ જૈન પરંપરાની નલકથા ઉપરાંત નલાયન' મહાકાવ્યને આધારે નયસુંદરે રચેલા “નળદમયંતી રાસ'માંથી લીધેલું ઉમેરણ પણ કર્યું છે. તેની સાથેસાથે પિતાની સ્વતંત્ર, મૌલિક કવિપ્રતિભા વડે કયારેક પાત્રાલેખનના નિમિરો, કયારેક રસનિરૂપણના નિમિત્તે, ક્યારેક સભારંજનને માટે, ક્યારેક ગુજરાતીકરણ કરવાના આશયે નળદમયંતીની મૂળ કથામાં સ્થળેથળે ફેરફારો કર્યા છે. કેટલાક ફેરફારો એવા પણ હશે જે ફેરફાર કરવાના સભાન