________________
૨૩૮ | ડિલેહણ સતીત્વની કસોટી થતી બતાવી છે.
બીજી બાજુ, આ પ્રસંગે બાહુકને જ્યારે દમયંતી પાસે લઈ જવામાં આવે છે ત્યારે પ્રેમાનંદે નિરપેલું તેનું વર્તન તદ્દન અનુચિત લાગે છે. “સાધુ પુરુષને સઘ પાડે,” “બાહુક ખૂંખારે, આળસ માંડે, માંડવાં વિયીનાં ચિહન'–વગેરે પંક્તિઓ આપણને ઘણી ખેંચે છે. કરંજનના પ્રવાહમાં તણાયેલી કવિની નિરૂપણકલા કવિને પિતાને અને નળદમયંતીનાં પાત્રોને કેટલે અન્યાય કરી બેસે છે તે અહીં જોઈ શકાય છે.
“બાહુક એ જ નળ છે' – એની પ્રતીતિ થતાં, દમયંતી જે કહે છે તેમાં નળ પ્રત્યેને એના ઉચતમ, અશારીર પ્રેમની આપણને પ્રતીતિ થાય છે. દમયંતી કહે છે :
તમ ચર્ણ વિશે મમ મન થતું તમ પાને પેટમાં રણ ઘાતું (૬૧–૫૫) અમે અબુધ્ય અબળામાં બુધ્ય થેડી; કરે વિનંતી પ્રેમદા, પણ જેડી. (૬૧-૫૬) નથી રૂપનું કામ રે ભૂપ! માહરા; થઈ કિંકરી અનુસરું ચર્ણ તાહરા. (૬૧–૫૭)
આ સાંભળી નળ તરત જ પિતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. અને
જેમ તમાલ પૂઠે વીંટાયે વેલી; તેમ કંથને વળગી રહી ગુણધેલી. (૬૧-૬૨)
નળ પ્રગટ થાય છે એના આનંદોત્સવનું નિરૂપણ કરી, કવિએ ઋતુપર્ણના દુઃખને અને નળે આપેલા સાંત્વનને પ્રસંગ નિરૂપ્યો છે. ઋતુપર્ણ આ દુ:ખને કારણે આપઘાત કરવા તૈયાર થાય છે એ તે પ્રેમાનંદની કલપના છે, નળ અને ભીમકરાજ ઋતુપર્ણને અટકાવે