________________
૨૪૦ | પડિલેહ થવા ઉપરાંત, ફજેત પણ થયેલ છે. પ્રેમાનંદે પિતાના આ પ્રસંગનું સૂચન “વૈષધીયચરિત” કે “નલાયન' માંથી લીધું હશે?
નળ મૂળ સ્વરૂપે પ્રગટ થાય છે અને દમયંતીને મળે છે એ પછી પાંચ દિવસ ભીમકરાજાને ત્યાં રહી એ, પિતાનું સૈન્ય સજજ કરી પુષ્કરને જીતવા માટે આવી પહોંચે છે. આ પ્રસંગે પ્રેમાનંદ ભીમકરાજાના પુત્રોને પણ નળ સાથે આવતા બતાવ્યા છે. ભાલણમાં, નાકરમાં કે મહાભારતમાં એ પ્રમાણે નથી, માત્ર “નલાયન 'કારે અને નયસુંદરે ભીમકરાજાના પુત્રોને નળની સાથે જતા બતાવ્યા છે. પ્રેમાનંદે આ સૂચન એમાંથી લીધું હોય એ સંભવિત છે.
એકાદ-બે અપવાદ સિવાય લગભગ બધી જ કૃતિઓમાં નળ અંતે પુષ્કરને ઘતમાં હરાવી પોતાનું રાજ્ય પાછું મેળવે છે. પ્રેમાનંદ પુષ્કરને ઘત રમત કે યુદ્ધ કરી બતાવ્યું નથી, કારણ કે પુષ્કરના હદયનું પરિવર્તન થાય છે અને એ પોતે જ સામેથી આવી, નળને એનું રાજ્ય પાછું સોંપી દે છે. પુષ્કરનું આ પરિવર્તન પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. શ્રી રામનારાયણ પાઠક લખે છે:
.. પ્રેમાનંદે એને પશ્ચાત્તાપ કરતે, સામે જઈ રાજ્ય સોંપત બતાવે છે, તે પણ મહાભારત કરતાં શુભતર અંત છે તેની ના નહિ કહી શકાય. મહાભારત કરતાં ગુજરાત એટલું મુલાયમ પ્રકૃતિનું અવશ્ય હતું” * શ્રી અનંતરાય રાવળ આ વિશે લખે છે,
પ્રેમાનંદને સુધારો જરાય વાંધાભર્યો નથી. “ રણયજ્ઞ માં રાવણ અને કુંભકર્ણનાં પાત્રોને રામાયણ કરતાં સુધારવામાં એણે જે કુશળતા દેખાડી છે તેવા જ પ્રકારની કુશળતા અને દૃષ્ટિ તેણે અહીં દેખાડ્યાં ગણાય નહીં ?” X
પ્રેમાનંદ આણેલે આ અંત શુભતર છે અને ગમી જાય એવે. * કાવ્યની શક્તિ ( બીજી આવૃત્તિ) ૫. ૧૫૨ ૪ નળાખ્યાન (બીજી આવૃત્તિ) પૃ. ૩૫૩