________________
| ત્રિભુવનદીપકપ્રબંધ | ૧૫ બીલવણીને કવિએ ક્ષતિરહિત ચમત્કૃતિ સહિત બનાવી છે. જેના સાધુ કવિને હાથે આ કૃતિની રચના થઈ હોવાથી તે વાચકને તત્ત્વજ્ઞાનની ઉચતર ભૂમિકા પર લઈ જાય છે. પ્રચારલક્ષી નહિ પણ પ્રસારલક્ષી કહેવાય એવી આ કૃતિમાંથી વાચક ઇચ્છે તે કાવ્યરસની સાથે જ્ઞાનગર્ભિત ઉબેધ પણ પામી શકે છે, કારણ કે તેમાં કવિતા અને તત્ત્વજ્ઞાનને સુભગ સમન્વય થયો છે.
આપણું મધ્યકાલીન રૂપકકાવ્યોમાં “ત્રિભુવનદીપકપ્રબંધ' એક કોષ્ઠ કાવ્ય છે.