________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૯ મંડપનું સચોટ અને લાક્ષણિક ચિત્ર આપે છે, અને એ જ કડવાના અંતભાગમાં, દેવોના પ્રસંગની શરૂઆત કરી દે છે અને તે, ૨૩મા. કડવામાં નળ દેવોનું દૂતકાર્ય કરી પાછા ફરે છે ત્યાં સુધી ચાલે છે. પ્રેમાનંદે આ પ્રસંગે પોતાના પુરોગામી કવિઓ કરતાં ઘણું સારી. રીતે ખીલ છે અને કેટલેક અંશે એને બગાડ્યો પણ છે.
એણે નારદને “કલહની ટેવવાળા” બતાવ્યા છે. મહાભારતમાં નારદ દેવોને માત્ર દમયંતીના સ્વયંવરના સમાચાર આપે છે. ભાલણને અનુસરી, પ્રેમાનંદે દેવાંગનાઓને ઉતારી પાડતા નારદને બતાવ્યા છે. દેવે સ્વયંવરમાં જવા માટે નીકળે છે એ પ્રસંગને વધારે રસિક બનાવવા, પ્રેમાનંદે મહાભારત કરતાં થોડું ભિન્ન નિરૂપણ કર્યું છે. મહાભારતમાં દેવ એકબીજાથી છાનામાના જતા નથી, જૂજવાં રૂપ ધારણ કરતા નથી, એકબીજાથી મનમાં ચોરી રાખી, ખોટા કામનું બહાનું બતાવતા નથી. પ્રેમાનંદે તે પ્રમાણે નિરૂપણ કર્યું છે. નળ પાસે દે વિપ્રને વેશ ધારણ કરીને આવ્યા, નળ પાસે પિતાના કાર્ય માટે “હા” પડાવી લીધી અને પછી પોતે પ્રગટ થયા એવું પ્રેમાનંદે કરેલું નિરૂપણ, મહાભારતમાં કે અન્યત્ર નથી. દેવે પોતાના દૂતકાર્ય માટે નળને જોગીને વેષ લેવડાવે છે, એ પણ પ્રેમાનંદની પિતાની કલ્પના છે.
નળ જ્યારે દમયંતીના આવાસમાં જાય છે ત્યારે દમયંતી દાસી. પાસે હિંડોળા પર બેસી, માથામાં તેલ નંખાવી વાળ ઓળાવે છે. એ ચિત્ર પણ પ્રેમાનંદનું પોતાનું છે. એ સમયે દમયંતી અને દાસી વચ્ચે જે વાતચીત થાય છે, પ્રતિબિંબમાં પુરુષને જોતાં તેઓ નાસી. જાય છે, ફરી પાછાં એ જ જગ્યાએ બેસી ફરી પ્રતિબિંબ જુએ છે. અને પછી “આડો અંતરપટ ધરી ' નળને પ્રગટ થવા માટે તે સ્તુતિ કરે છે, તથા નળ દાસી સાથે બેસવાની ના પડે છે અને દમયંતી એનું કારણ સમજાવે છે–એ આખી કલ્પના પણ પ્રેમાનંદની પિતાની છે.