________________
નળાખ્યાનનું કથાવતુ / રર૩ નથી. પ્રેમાનંદે એ રીતે નારદ પાસે મહાભારત કરતાં ઘણું વધારે કામ કરાવ્યું છે. વળી, એનું ચિત્ર પણ કપ્રિય બનાવવાના આશયથી મહાભારત કરતાં થોડું ભિન્ન દેર્યું છે.
મહાભારતમાં કલિ અને દ્વાપર આવતા હોય છે ત્યારે દેવે તેમને રસ્તામાં મળે છે, તેમની વચ્ચે સ્વયંવર વિશે વાતચીત થાય છે. પ્રેમાનંદે દેવ અને કલિ વચ્ચેના આ પ્રસંગને ઉલ્લેખ કર્યો નથી. એણે કલિનું ભયંકર ચિત્ર માત્ર બે જ પંક્તિમાં ખડું કરી દીધું છેઃ
બેઠો મહિષ ઉપર કળિકાળ, કંઠે મનુષનાં શીશની માળ; કરમાં કાતુ લેહ-શણગાર, શીશ સઘડી ધીકે અંગાર. (૨૮-૩૨)
કલિ નળના નગરમાં અને નળના દેહમાં પ્રવેશ કરવા ઇચ્છે છે; પરંતુ લેકના ધર્મપાલનને લીધે તે પ્રવેશી શકતા નથી, અને તેથી નગરમાં આમતેમ ભમ્યા કરે છે. મહાભારત પ્રમાણે, તે આ રીતે બાર વર્ષ સુધી ભમે છે. ભાલણે પણ તે પ્રમાણે લખ્યું છે. પ્રેમાનંદે એક હજાર વર્ષ ગણાવ્યાં છે. સાઠ હજાર વર્ષ બતાવનાર જૈન કવિઓ નલાયન કાર અને નયસુંદરની જેમ, પ્રેમાનંદે પણ મોટી સંખ્યા બતાવી છે.
નળ-દમયંતીને બે સંતાન થાય છે. પ્રેમાનંદ લખે છે: જુમ્બાલક સંગાથે પ્રસવ્યાં, પુત્રપુત્રી રૂપે અભિનવાં (૨૮-૩૮)
અહીં પુત્રપુત્રી સાથે જન્મ્યાં એવો ઉલ્લેખ મહાભારતમાં, નૈષધીયચરિતમાં કે ભાલણમાં નથી. પણ “નલાયન” કાર અને નયસુંદરે તે પ્રમાણે વર્ણન કર્યું છે. પ્રેમાનંદે નયસુંદરમાંથી એ વિચાર લીધે હોય એમ લાગે છે.
નળના દેહમાં કલિ પ્રવેશે છે એનું નિરૂપણ મહાભારત કરતાં ડું ભિન્ન પ્રેમાનંદે કર્યું છે. મહાભારત પ્રમાણે એક દિવસ નળે - લઘુશંકા કર્યા પછી પણ જોયા વગર સંધ્યાવંદન કર્યું એટલે કેલિએ