________________
૨૨૪ / પડિલેહા
એના શરીરમાં પ્રવેશ કર્યો. ભાલણે પણ બરાબર મહાભારત પ્રમાણે વન કર્યુ. છે. પ્રેમાનન્દે લઘુશંકાના ઉલ્લેખ કર્યો છે. · નલાયન'કારે અને નયસુ ંદરે લઘુશ'કાના ઉલ્લેખ કર્યો નથી, અને પગ ધાતાં આંગળી વચ્ચેની જગ્યા કારી રહી ગઈ અને ત્યાંથી કલિએ નળના શરીરમાં પ્રવેશ કર્યા એમ લખ્યું છે. પ્રેમાનંદનું આ નિરૂપણુ નયસુંદર અને ‘ નલાયન 'તે મળતુ આવે છે.
કલિ અને દ્વાપર વિપ્રને વેષ ધારણ કરીને પુષ્કર પાસે આવી એને નળ સાથે વ્રત રમવા પ્રેરે છે એ વર્ણન પ્રેમાનંદનું મૌલિક છે. ત્યારપછી પુષ્કરે વ્રતમાં વૃષભ પરઠચાનું વર્ણન એણે ભાલણુ અને નાકરને અનુસરીને કર્યું' છે. પણ ભાલણના આખ્યાનમાં કલિ વૃષભનું રૂપ લે છે અને દ્વાપર પાસાનું રૂપ ધારણ કરે છે. પ્રેમાન ંદના આખ્યાનમાં કલિ પાસા બને છે અને દ્વાપર પાડી બને છે. વળી, પુષ્કર વ્રતમાં આખલે હેડમાં મૂકે છે. માટે પ્રેમાનન્દે એને વનવાસી બતાવ્યા છે. ભાલણે એવું" બતાવ્યુ` નથી. ( જોકે રાજ રાતના દ્યૂત રમીને પુષ્કર પેાતાને ‘ આશ્રમે ' જાય છે એવું ભાલણે લખ્યુ છે. )
શ્રી રા. વિ. પાઠક લખે છે, “ ભાલણે અને પ્રેમાનંદે બંનેએ પુષ્કરે રમતમાં ‘વૃષ' મૂકયો વન ક" છે. હવે પુષ્કર રાજા હાય તા આખલા લઈને જાય અને ‘પણ 'માં માત્ર આખલા મૂકે, અને તેની સામે નળ પેાતાનું રાજ્ય મૂકે એ અસંભવિત છે. ભાલણને આ અસંભવિતતા જણાઈ નહિ, પ્રેમાનંદને જણાઈ, અને તેથી તેણે પુષ્કરને નિન અને વનવાસી કપ્ચા
"*
શ્રી પાઠકના આ અભિપ્રાય વિશે થાડીક સ્પષ્ટતા કરવાની જરૂર છે. પ્રેમાનંદ પ્રમાણે પુષ્કરે દાવમાં વૃષભ મૂકયો અને સામે, નળે આખું રાજ્ય મૂકયુ. અને એક જ દાવમાં તે હારી ગયેા. આવી રીતે એક વૃષભની સામે આખું રાજ્ય મૂકવામાં આવે એ
* કાવ્યની શકિત ( બીજી આવૃત્તિ) પૃ. ૧૨૩