________________
૨૩૨ / પડિલેહા
તાપણુ એનું નિરૂપણુ એણે પેાતાની વિશિષ્ટ કલાથી કર્યું છે. કદાચ પ્રેમાન દે કચાંયથી સૂચન ન લીધું. હાય અને આખા પ્રસંગ પેાતાની મૌલિક કલ્પનાથી યેાજી કાઢયો હાય એમ પણ બને. આ પ્રસંગે એણે દમયંતીને હાથે, કલિના અહી છેલ્લા પરાજય બતાન્યેા છે.
૪૩મા કડવામાં હારચોરીના પ્રસંગ મૂકયો છે અને ત્યાર પછી કવિએ ઇંદુમતી અને દમયંતી વચ્ચેને સંવાદ સચોટ અને કુશળતાથી રજૂ કર્યો છે. કવિએ સંવાદને ત્વરિત અને જાણે ભજવાતા હાય એવા નાટયાત્મક બનાવ્યા છે, પ્રસંગને નજર સમક્ષ તરવરતા કરવાની પ્રેમાનંદની કલા અહી કેટલી ખીલે છે તે આપણે જોઈ શકીએ છીએ.
આ પ્રસંગની અને પ્રેમાનંદની નિરૂપણુકલાની પરાકાષ્ઠા આ પછીના કડવામાં, દમયંતીએ પ્રભુને કરેલી આ હૃદયની પ્રાર્થનામાં આવે છે. ગુજરાતી સાહિત્યની આ ચિરસ્મરણીય પંક્તિના ‘ઢાળ’ પણ એવા જ ભાવાનુકૂળ છે. કવિ લખે છેઃ
ઢા હરિ, સત્ય તણા રે સંધાતી, હર ! હુ` કહીંયે નથી સમાતી; હિર, માહરાં કાણું કર્મોનાં કરતું, હર ! ચેરીથકી શું નરતું? હિર, હું શા માટે દુઃખ પામું? હિર, જુઓ હું−રાંકડી સાહમું, હરિ, ગ્રાહથા ગજ મુકાવ્યા, હરિ ! હું−પર રોષ શે` આવ્યું ?
પ્રેમાનંદની આ પ ક્તિએ એ જમાનામાં જ્યારે કરુણુ સ્વરે ગવાતી હશે ત્યારે કાનું હૃદય નહિ દ્રવ્યુ` હેાય? કેાની આંખ ભીની નહિ થઈ હૈાય ?
૪૬મા કડવાથી, કવિએ નળદમયતીની શોધ અને ત્યારપછી તેની મિલન-કથાનું નિરૂપણ શરૂ કર્યું છે. સુદેવ દમયંતીની શોધ માટે નીકળે છે એ પ્રસંગનું નિરૂપણ પ્રેમાન હૈ જીવંત અને ચિત્રાત્મક કર્યું છે. આ તાદશ ચિત્ર પછી પ્રેમાનંદના સંવાદકૌશલનેા, થાડા શબ્દામાં ઘણું કહેવાની એની શક્તિને અને એ દ્વારા એના શબ્દ