________________
૨૨૦ / પડિલેહા
દેવાને વરવા માટે દમયંતી આગળ દેવા અને માનવે વચ્ચે અંતર બતાવી નળ જે લીલા કરે છે તે, પ્રેમાનંદે વિસ્તારથી આપી છે. મહાભારતમાં એટલા વિસ્તાર નથી. પ્રેમાનંદના આ નિરૂપણમાં ઘેાડીક ભાલણની, થેાડીક નાકરની અને થેાડીક નયસુંદરના દમયંતી રાસ 'ની અસર પડેલી જણાય છે.
6
નળ
નળ દંતકા કરવા જાય છે ત્યારે દેવા એની પાછળ પેાતાના એક ગુપ્ત દૂત માકલે છે – એવું પ્રેમાન હૈં કરેલું નિરૂપણુ મહાભારતમાં, ♦ નૈષધીયચરિત 'માં કે ભાલણમાં નથી. તેમ એ પ્રેમાનંદની મૌલિક કલ્પના પણ નથી. - નલાયન 'માં અને એને અનુસરીને નયસુ ંદરના ‘ નળદમયંતી રાસ'માં ગુપ્ત દૂતની વાત આવે છે. નાકરમાં પણ એ આવે છે. પ્રેમાનન્દે આ કલ્પના ‘નળદમયતી રાસ'માંથી લીધી હાય, અથવા એ નાકરમાંથી લીધી હાય એમ પણ બને,
પ્રેમાનંદે નળના દૂતકાયના પ્રસંગ વિસ્તારથી વર્ણન્મ્યા છે. પરંતુ એ પ્રસ ંગે એણે નળ અને દમયંતીનાં પાત્રા મહાભારત જેવાં ઉચ્ચ ગૌરવવાળાં ટ્વાર્યા નથી.
આ પછી પ્રેમાન દે સ્વયંવરની તૈયારી, સ્વયંવરમ’ડપની રચના અને સ્વયંવરમાં પધારેલા રાજાઓના યુવાન અને આકર્ષક દેખાવા માટેના વૃથા પ્રયત્નાનુ હાસ્યરસિક આલેખન કર્યું છે. એમાં પ્રેમાનંદના સમકાલીન ગુજરાતનું પ્રતિબિંબ પડયુ છે. પાતાના શ્રોતાએના મનેારંજન માટે જ એણે રાજાઓની લગ્નત્સુકતાનું આવું અતિશયોક્તિભયુ : આલેખન કર્યુ છે.
સ્વયંવરમડપમાં નળ આવે છે એનું વર્ણન કરવા માટે, એક આખું જુદું કડવું પ્રેમાન હૈં રાકવું છે, અને તે પછી સ્વયંવરમંડપમાં દમયંતીના આગમન માટે બીજું એક કડવુ" રેકર્યું છે. કથાનાં નાયક અને નાયિકાનું, અગાઉ એમનું મુક્ત હાથે અલંકારયુક્ત વર્ણન કરીને, પ્રેમાનંદે, એ પાત્રોનું ગૌરવ વધાર્યું છે, અને પેાતાની