________________
૧૯૬ | પડિલેહ રચાયેલા જૈન રાસાઓમાં મધ્યમ કદના રાસ તરીકે જેને ઓળખાવી શકાય એવી આ રચના છે. કવિએ એ માટે કથાવસ્તુ પણ એને અનુરૂપ પસંદ કર્યું છે. દસ ઢાલની અને વચ્ચે વચ્ચે દુહાની કડીઓ મળી કુલ ૨૨૬ ગાથામાં આ કવિએ રચના કરી છે. - રાસના આરંભમાં દુહાની કડીઓમાં કવિએ, ચાલી આવતી પ્રણાલિકા પ્રમાણે, સરસ્વતી દેવીને, સદ્દગુરુને અને પાર્શ્વનાથ પ્રભુને પ્રણામ કરીને એમની કૃપાની યાચના કરી છે. વળી, અહીં જ એમણે આ રચના પાછળને પિતાને હેતુ પણ દર્શાવી દીધું છે. અલબત્ત, આ હેતુ, તત્કાલીન ધાર્મિક માન્યતાનુસાર ફલશ્રુતિના પ્રકારને, કૃતિનું માહાસ્ય દર્શાવનાર જ હેય છે. કવિ લખે છે :
ગુણ ગિઆના ગાવતાં, વલિ સાધના વિશેષ; ભવ માંહે ભભિય નહીં, લહિયાં સુખ અલેખ. મઈસંયમ લીધઉ કિમઈ, પણિ ન પલઈ કરું કેમ; પાપ ઘણું પિતઈ સહી, અટકલ કી જઈ એમ. તક પણિ ભવ તરિવા ભણી, કરિવઉ કોઈ ઉપાય; વલકલચીરી વરણવું, જિમ મુઝ પાતક જાય.
રાસની પહેલી ઢાલમાં કવિ કથાને આરંભ મગધ દેશની રાજગૃહ નગરીના વર્ણનથી કરે છે. આ નગરીનું માહાત્ય વર્ણવતાં કવિએ ભગવાન મહાવીર, ધના, શાલિભદ્ર, નન્દન મણિયાર, યવના શેઠ, જંબુસ્વામી, મેતાર્ય મુનિ, ગૌતમ સ્વામી વગેરેનાં નામ એ નગરી સાથે કેટલી ગાઢ રીતે સંકળાયેલાં છે તે સચોટ રીતે દર્શાવ્યું છે. એ રાજગૃહ નગરીના ગુણશીલ નામના ચૈત્યમાં એક વખત ભગવાન મહાવીર સમવસર્યા હતા. વનપાલક પાસેથી આ વધામણી સાંભળી શ્રેણિક રાજા તેમને વંદન કરવા માટે નીકળ્યા. રસ્તામાં એમણે એક મુનિવરનાં દર્શન કર્યા, જે એક પગ પર ઊભા રહી, સૂર્ય સમક્ષ