________________
કવિવર સમયસુંદર / ૦૩ કર્યો. રાત્રે તેને ઊંઘ પણ આવી નહિ. તે શેકમાં રાત્રિ પસાર કરતે હતો તે વખતે તેણે ગીત વાજિંત્રોને નાદ સાંભળ્યો, એણે રાજપુરુષને કહ્યું, “મારા આવા શેકમય પ્રસંગે કોને ત્યાં ઉત્સવ થઈ રહ્યો છે? તપાસ કરે.' તરત રાજપુરુષો પેલી વેશ્યાને પકડી લાવ્યા. વેશ્યાએ કહ્યું, “રાજન ! મારા ઘરે એક ઋષિપુત્ર આવ્યું છે, તેની સાથે મારી દીકરી મેં પરણાવી છે. માટે મારે ત્યાં વાજિંત્રો વાગતાં હતાં. તમારા શોકપ્રસંગની મને ખબર નહિ, માટે મને ક્ષમા કરો.”
આ સાંભળી ઋષિપુત્ર માટે રાજાને સંશય થશે. ઋષિપુત્રને ઓળખવા માટે એણે પેલા ચિત્ર સાથે કેટલાક માણસોને મોકલ્યા. તે પરથી જણાયું કે ઋષિપુત્ર તે પિતાને ભાઈ જ છે. એટલે એણે પિતાના ભાઈને હાથી પર બેસાડી રાજમહેલમાં બોલાવી લીધે રાજાએ એને નાગરિક સંસ્કાર અને શિષ્ટાચાર શીખવ્યા અને એને કેટલીક સુંદર કન્યાઓ પરણાવી.
આ બાજુ, આશ્રમમાં વલ્કલચીરીને ન જોતાં સેમચંદ્ર ઋષિને ઘણું દુઃખ થયું અને એની ચિંતામાં ને ચિંતામાં તેઓ અંધ થઈ ગયા. બીજા તાપસે વનફળ વગેરે લાવી આપી તેમની સેવા કરતા. હતા. પાછળથી જ્યારે કેટલાક તાપસ મારફત એમને સમાચાર મળ્યા. કે વલ્કલચીરી પિતનપુરમાં પિતાના ભાઈની સાથે જ છે ત્યારે તેમને કંઈક સાંત્વન મળ્યું.
પિતનપુરમાં આવીને રહે વકલચીરીને જોતજોતાંમાં બાર વર્ષ વીતી ગયાં. એક દિવસ રાત્રે તે અચાનક જાગી ગયું અને પોતાના આશ્રમજીવનને વિચાર કરવા લાગ્યો. પિતાના પિતાનું સ્મરણ થતાં, તેમની સ્થિતિ વિશે ચિંતાતુર થતાં તે પિતાની જાતને ધિક્કારવા લાગે. તેણે વનમાં જઈ ફરી પિતાની સેવા કરવાની પિતાની ઈચ્છા પ્રસન્નચંદ્ર આગળ વ્યક્ત કરી. પ્રસન્નચંદ્ર પણ તૈયાર થઈ ગયે બંને ભાઈઓ આશ્રમમાં સેમચંદ્ર પાસે આવી પહોંચ્યા, અને રાજર્ષિના ચરણમાં