________________
પ્રેમાનંદના “નળાખ્યાન'નું કથાવસ્તુ
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં નલકથાવિષયક કૃતિઓમાં ઉરચાસન પામેલા અને પ્રેમાનંદની કૃતિઓમાં સર્વશ્રેષ્ઠ ગણાયેલા એના “નળાખ્યાને ” નલકથાના વિકાસમાં ઘણું મહત્ત્વનો ફાળો આપે છે. જૈનેતર કવિઓમાં ભાલણ અને નાકર પછી નલકથાને ગુજરાતીમાં ઉતારવાને પ્રેમાનંદને આ પ્રયાસ, એની ટલીક ત્રુટિઓ હોવા છતાં, સૌથી વધુ સફળ અને સૌથી વધુ સમર્થ છે. પ્રેમાનંદે પિતાના આ આખ્યાનમાં મૂળ મહાભારતની પરંપરાપ્રાપ્ત કથા લઈ પિતાના પુરોગામી કવિઓએ તેમાં કરેલા કેટલાક ફેરફારે ઉમેરી લઈ, પિતાની કલ્પનાથી કેટલાક નવા પ્રસંગે ઉમેરી તથા કેટલાક મૂળ પ્રસંગેની રજૂઆત પિતાની મૌલિક દષ્ટિ અને પ્રતિભાથી કરી નલકથાને વધુમાં વધુ રસિક બનાવવાને પ્રશસ્ય પ્રયાસ કર્યો છે.
પ્રેમાનંદે આ આખ્યાનનું મુહૂર્ત સુરતમાં કર્યું હતું અને એની પૂર્ણાહુતિ સં. ૧૭૪રના પોષ સુદિ બીજને દિવસે ગુરુવારે નંદરબારમાં કરી હતી.*
પ્રેમાનંદના નળાખ્યાનની હસ્તપ્રતેમાં ત્રણ જુદી-જુદી રચનાતાલ જેવા: ૧૪.