________________
નળાખ્યાનનું કથાવસ્તુ / ૨૧૫. પ્રેમાનંદે હંસને નળના મહેલમાં રહે અને તેની સાથે અદ્દભુત મૈત્રી ધરાવતે બતાવ્યો છે; અને નળ હંસને પકડે છે ત્યાર પછી કેટલેક સમયે હંસને દમયંતી પાસે જતે બતાવ્યું છે. એટલે એની. દષ્ટિએ એક જ હંસ દમયંતી પાસે જાય એમાં જ ઔચિત્ય રહેલું છે. પ્રેમાનંદમાં અને મહાભારતના આલેખનમાં અહીં આટલે તફાવત છે.
“નૈષધીયચરિત માં માત્ર એક જ હંસ દમયંતી પાસે જાય છે; પરંતુ ભાલણે મહાભારત પ્રમાણે આલેખન કર્યું છે. એટલે એક હંસની કલ્પના એ પ્રેમાનંદની જો મૌલિક ન હોય તે “ૌષધીયચરિત'ની એ અસર હશે એમ કહી શકાય. પણ તે પ્રેમાનંદે સીધી એ “નૈષધીયચરિત માંથી લીધી હશે? પણ “નૌષધીયચરિત'માં હંસ અને નળની દૃઢ મૈત્રીની વાત આવતી નથી. માણિક્યદેવસૂરિકૃત
નલાયન માં અને એને અનુસરી નયસુંદરના “નળદમયંતી રાસ માં. દમયંતી પાસે એક જ હંસ જાતે બતાવાય છે. વળી નયસુંદરના. રાસમાં, હંસ અને નળની દૃઢ મૈત્રીનું નિરૂપણ પણ છે. અલબત્ત, પ્રેમાન દ જેવું નહિ. એટલે પ્રેમાનંદના આ નિરૂપણમાં એના પુરોગામી. જૈન કવિ નયસુંદરની થેડી અસર પડી હોય તે નવાઈ નહિ. - દમયંતી હંસને પકડવા માટે કોઈ યુક્તિ કરતી હેય એ. ઉલ્લેખ મહાભારતમાં નથી. ત્યાં તે હંસને દમય તીએ હાથમાં પકડયાને. પણ ઉલ્લેખ નથી. નિષધીયચરિત'માં પણ તે નથી. ભાલણે દમયંતી. પિતાની ઓઢણી નાખી હંસને પકડવાનો પ્રયત્ન કરે છે એમ લખ્યું છે. પ્રેમાનંદે દમયંતી પાસે હંસને પકડવા માટે ઘણે શ્રમ લેવડાવ્યા છે. એ માટે દમયંતીએ કરેલી યુકિત પ્રેમાનંદની સ્વતંત્ર રસિક કલ્પનાનું સર્જન છે. જુઓ :
પિતાનાં વસ્ત્ર દાસીને પહેરાવી, પઠી ચહેક્યામાં આવી; ૧૧-૩/૪ મસ્તક મૂકયું પલાશનું પાન, વિકાસી હથેળી કમળ સમાન;