________________
૨૧૬ / પડિલેહા
મધ્યે મૂકયું જાંબુનું ફળ, જાણે ભ્રમર લે છે પ્રીમળ. ૧૧-૪ પાતે નાસિકાએ ગણગણતી, ભામા ભમરાની પેઠે ભણતી. હંસે હિરવદની જાણી, હિ પંકજ, પ્રેમદાના પાણુ, ૧૧-૫ ખેસ જઈને થઈ અજ્ઞાન, પરણાવવેા છે નળરાજાન ૧૧-૬/૧
હંસ દમયંતી આગળ નળનું જે વર્ણન કરે છે તેમાં આગળ થયેલા દમયંતીના વ નનુ" કેટલું ક મળતાપણું આવે છે. બાકીનુ વન કવિનું મૌલિક છે. નળનું રૂપ જોઈ દેવા પેાતાની સ્ત્રીઓની રક્ષા કરવા માંડે છે અને નારદઋષિ આગળથી ચેતી બ્રહ્મચારી રહે છે એનું વર્ણન પ્રેમાનન્દે રસિકતાથી કર્યું છે. હંસ નળનું વન કરી, દમયંતીને એને માટે અનુરાગ મેળવી, દમયંતીને શિખામણ આપે છે કે સ્વયંવરમાં નળનું રૂપ ધારણ કરી, મેાટા મેાટા દેવતાઓ આવશે. ભવિષ્યમાં બનનારી ઘટનાનું પ્રેમાનન્દે ફરી અહીં હુંસ દ્વારા સૂચન કર્યુ છે.
દમયંતી પાસે જઈ આવી હંસ નળ આગળ પ્રથમ ડિનપુરનું પરિસંખ્યા અલંકાર' વડે વન કરે છે; પછી ત્યાંના વનનું (જૂની પરંપરા પ્રમાણે ગાઢ વનનું વાતાવરણ સૂચવવા વૃક્ષાની યાદી આપીને) વર્ણન કરે છે; પછી, પંદરમાં કડવામાં ઉપમા, રૂપક, ઉત્પ્રક્ષાદિ અલંકારો વડે દમય ́તીનાં અંગાંગાનું કવિત્વમય વર્ણન કરે છે. દમયંતીનું બે વાર વર્ણન કરવા છતાં, ન ધરાયેલા કવિ પ્રેમાન દે પ્રત્યક્ષ જોઈ તરત પાછા ફરેલા હંસ પાસે આગળનાં બે વ ના કરતાં પણ અધિક ચડિયાતું અને વિગતે ત્રીજી વાર વણુ ન કરાવ્યુ છે, તેમાં પ્રેમાનંદનાં ઊંચાં કલ્પનયનાની અને એના કવિત્વવિલાસની આપણને સબળ પ્રતીતિ થાય છે. આમાં એણે પ્રયાજેલા કેટલાક અલંકાર, સ ંસ્કૃત મહાકવિઓની હરાળમાં એને બેસાડે તેવા છે. એની આરંભની ખે ઈંદુ'ની કલ્પના જુએ :
"