________________
૨૧૪ | પડિલેહા /
પણ બીજી એક શકયતા પણ છે. નયસુંદરે પિતાના “નળદમયંતીરાસ'માં એ વાત “નૈષધીયચરિત માંથી લીધી છે. પ્રેમાનંદે પોતાના પુરેગામી આ જૈન કવિમાંથી એ કહપના લીધી હોય એમ પણ બની શકે.
નળ હસ સાથે જોડા પર બેસી પિતાને ઘેર આવે છે, અને નળને લેવા આવેલું સૈન્ય તે હંસને જોઈ વિસ્મય પામે છે. પ્રધાનને પણ હંસ વિશે જાણવાનું કુતૂહલ થાય છે. એ પ્રસંગનું, અને ત્યાર પછી હંસ અને નળની ગાઢ મૈત્રીનું સચોટ અને ઉત્કટ આલેખન પ્રેમાનંદની મૌલિક કલ્પનાનું સર્જન છે. આ રીતે એમણે હંસનું મહત્વ વધારી દીધું છે. હંસમાં માનવભાવનું આરોપણ એમણે કેટલું સરસ અને છતાં કેટલી સ્વાભાવિકતાથી કર્યું છે તે આપણે અહીં જોઈ શકીએ છીએ.
એકઠા બેસી બને જમેઘતક્રીડા બજે જન રમે; અન્ય લે કાઢી તંબેળ, મુખે વાણીને કરે કલેલ. (૮-૪)
હંસ નળને એની રાણી વિશે પૂછે છે એ પ્રસંગે “ભાભી' બ્દ મૂકી, પ્રેમાનંદે પંખી હંસ અને માનવ નળ વચ્ચેની કૌટુંબિક નિકટતા અને આત્મયતાનું હૃદયંગમ ચિત્ર ખડું કર્યું છે. વળી, નળના મદુ ઉપાલંભમાં અને હંસના જવાબમાં અહીં તળ ગુજરાતનું વાતાવરણ પણ ખડું થાય છે. પ્રેમાનંદની સ્વતંત્ર સજનશક્તિનું, અને આલેખનમાં ગુજરાતીપણુના અંશે આણવાની એમની શક્તિનું, અહીં આપણને અછું દર્શન થાય છે.
નળનું દૂતકાર્ય કરવા માટે હંસ, દમયંતી પાસે જાય છે અને દમયંતી એને પકડવા માટે ઝાંઝર કાઢી દોડે છે એનું પ્રેમાનંદે તાદશ. નજર સમક્ષ રમ્યા કરે એવું ચિત્ર દોર્યું છે. મહાભારતની કથા પ્રમાણે, ઘણુ હંસે દમયંતીના આવાસ પાસે આવે છે અને દમયંતી તથા એની સખીઓ એક હંસની પાછળ દેડે છે અને તેમાં દમયંતી જેની પાછળ દેડે છે તે હંસ નળનું દૂતકાર્ય કરે છે.