________________
કવિવર સમયસુંદર / ૧૫
ભાષામાં વ્યાકરણ, ન્યાય, તિષ, ઈતિહાસ, પ્રબંધ, રાસ-ચોપાઈ, બાલાવબેધ, સ્તવન, સઝાય, ગીત ઇત્યાદિ સાહિત્યપ્રકારોમાં પિતાની વિપુલ અને ઉચ્ચ કોટિની સેવા આપનાર આ વિદ્વાન કવિએ મધ્યકાળમાં ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ કરનાર કવિઓમાં વિશિષ્ટ સ્થાન પ્રાપ્ત કર્યું છે. એમણે સાંબપ્રદ્યુમ્ન એપાઈ, મૃગાવતીચરિત્ર પાઈ, નલદવદતી રાસ, પુણ્યસાર રાસ, વસ્તુપાલ-તેજપાલ રાસ, ક્ષુલ્લક કુમાર રાસ, પુજા ઋષિ રાસ, ચંપક શ્રેષ્ઠી પાઈ, ધનદત્ત શ્રેષ્ઠી પાઈ, વકલચીરી રાસ, સીતારામ ચોપાઈ, દ્રૌપદી ચોપાઈ વગેરે રાસ-પાઈના પ્રકારની ઘણું રચનાઓ કરી છે. સ્તવન, ગીતાદિ લધુ રચનાઓમાં પણ એમનું સ્થાન ઘણું મહત્ત્વનું છે.
સમયસુંદરે “વકલચીરી રાસ ની રચના સંવત ૧૬૮૧માં જેસલમેર નગરમાં મુલતાનના શાહ કરમચંદની આગ્રહભરી વિનંતીથી કરી છે. એમાં કવિએ જૈનેમાં સુપ્રસિદ્ધ એવી પ્રસન્નચંદ્ર રાજર્ષિ અને વકલચીરીની કથા આલેખી છે. સામાન્ય રીતે કવિ સમયસુંદર કથાને આધાર પોતે ક્યા ગ્રંથમાંથી લે છે એ પોતાની રાસરચનાઓને અંતે નેધે છે. પરંતુ આ રાસને અંતે એમણે એ કઈ નિર્દેશ કર્યો નથી. “ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત્ર'ના પરિશિષ્ટ પર્વમાં જંબુસ્વામીના ચરિત્ર પૂર્વે હેમચંદ્રાચાર્યો વલ્કલચીરીની કથા વિગતે આપી છે. પરંતુ એની સાથે સમયસુંદરની આ કૃતિ સરખાવતાં, મુખ્ય મુખ્ય ઘટનાઓને તે બરાબર અનુસરતી હોવા છતાં, કવિએ તેને આધાર લીધે હોય એમ લાગતું નથી.
કવિએ આ રાસની રચના દુહા અને જુદી જુદી દેશીઓમાં લખાયેલી ઢાલમાં કરી છે. કદની દૃષ્ટિએ જોતાં આ રાસ કવિના સીતારામ ચોપાઈ, નલદવદંતી રાસ, દ્રૌપદી ચોપાઈ વગેરે કરતાં નાને અને પ્રિયમેલક પાઈ, ચંપક શ્રેષ્ઠિ પાઈ, ધનદ શ્રેષ્ઠી ચેઈ, પુણ્યસાર રાસ વગેરેની કક્ષામાં મૂકી શકાય એ છે. મધ્યકાળમાં