________________
૧૬૮ | પડિલેહા હતી. સમયસુંદરના જ શિષ્ય વાદી હર્ષનંદને લખ્યું છે તે પ્રમાણે સમયસુંદરે “નવયૌવન ભર સંયમ સંગ્રહો છે, સઈ હથે શ્રી જિનચંદ.” વાદી હર્ષનંદને જ્યારે “નવયૌવનને સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે ત્યારે સમયસુંદરે આઠદસ વર્ષની બાળવયે નહિ, પણ અઢાર-વીસ વર્ષની તરુણાવસ્થામાં દીક્ષા લીધી હશે એવું અનુમાન કરીએ તે ખોટું નથી. એ પ્રમાણે દીક્ષાના સમયે એમની ઉમ્મર ઓછામાં ઓછી ૨૦ વર્ષની કપીએ, તે એમને જન્મ સં. ૧૬૧૦ની આસપાસ થયા હશે એમ માની શકાય. દીક્ષા સમયની એમની ઉમ્મર પ્રમાણે આ જન્મસમય આગળપાછળ મૂકી શકાય. યુગપ્રધાન આચાર્ય શ્રી જિનચંદ્રસૂરિએ પિતાને હાથે કવિને દીક્ષા આપી હતી અને પિતાના પ્રથમ શિષ્ય સકલચંદ્ર ગણિના શિષ્ય તરીકે એમને જાહેર કરી એમનું “સમયસુંદર' નામ રાખ્યું હતું.
પિતાની કૃતિઓમાં સમયસુંદરે કે એમને અંજલિ અર્પતાં ગીતમાં એમના શિષ્યએ એમના જન્મનામને ક્યાંય ઉલ્લેખ કર્યો નથી. એટલે સાધુતાને અંગીકાર કરી સમયસુંદર બનતાં પહેલાં એમનું બાળપણનું નામ શું હતું એ વિશે કશું જાણવા મળતું નથી. વસ્તુતઃ એક વખત દીક્ષા લઈ સંસારીપણાને ત્યાગ કરનાર જૈન સાધુઓને પિતાનું મૂળ નામ જણાવવાની ભાગ્યે જ ઈચ્છા રહે છે. દીક્ષા લેતાં પહેલાં સમયસુંદરે કંઈ અભ્યાસ કર્યો હતો કે નહિ એ વિશે પણ કઈ ચોક્કસ નિર્દેશ મળતું નથી. મારવાડ, અને તેમાંયે સાચોર જેવા પછાત ગામમાં અભ્યાસ માટે તેમને બહુ અનુકૂળતા મળી હોય એ સંભવિત નથી. દીક્ષા પછી અભ્યાસ માટે તેમને ઘણું તક મળી હતી એમ એમના લખાણ પરથી જાણી શકાય છે.
સમયસુંદરે પિતાને અભ્યાસ વિશેષતઃ વાચક મહિમરાજ (પછીથી જેઓ શ્રી જિનહર્ષસૂરિ તરીકે ઓળખાતા હતા) અને સમયરાજ ઉપાધ્યાય પાસે કર્યો હતે. એટલે જ તેઓ તેમને બંનેને