________________
કવિવર સમયસુંદર / ૧૮૧ સિંધૂ શ્રાવકે સદા સેભાગી ગુરુ ગચ્છકા બહુ રાગી બે, જાણું શ્રાવક તે જેસલમેરા મરમ લહઈ ધમ કેરા બે, કરમચંદ રીહડ જાણીતા સાહે સદા વદીતા બે, તસુ આગ્રહ કરિ એ ગ્રંથ કીધા, નામ મેહણવેલ દીધા છે.
કવિએ આ કૃતિની રચના કરીને એને મેહનવલ' એવું અમરનામ પણ આપ્યું છે. આ રાસની રચના કરતાં પહેલાં કવિએ બીજી કેટલીક રાસ-કૃતિઓની પણ રચના કરી છે, જેમાંથી “સાંબપ્રદ્યુમ્ન રાસ” અને “ચાર પ્રત્યેક બુદ્ધને રાસીને નિર્દેશ કવિએ પોતે આ રાસના આરંભમાં જ કર્યો છે. આ પરથી જોઈ શકાય છે કે આ રાસકૃતિના સર્જન માટે કવિ સિદ્ધહસ્ત બની ચૂક્યા હતા.
કવિવર સમયસુંદરે આ રાસની રચના ત્રણ ખંડમાં, ઢાલ અને દુહામાં કરી છે. પ્રથમ ખંડમાં ૧૩ ઢાલ, દ્વિતીય ખંડમાં ૧૩ ઢાલ અને તૃતીય ખંડમાં ૧૨ ઢાલ કવિએ પ્રજી છે.
આ રાસનાં કથા-વસ્તુ માટે મૃગાવતીનું જેમાં સુપ્રસિદ્ધ અતિહાસિક ચરિત્ર કવિએ પસંદ કર્યું છે. મૃગાવતી ભગવાન મહાવીરના સમયમાં શતાનીક રાજાનાં રાણુ હતાં. ભગવાન મહાવીર પાસે એ દીક્ષા લઈ સાધી થયાં છે. ભગવાન એમને પ્રવર્તિની ચંદનબાલાની શિષ્યા બનાવે છે. મૃગાવતીનું સ્થાન સતીઓમાં મોખરે છે. પ્રાતઃ સમરણીય સોળ સતીઓમાં એમની ગણના થાય છે. સૂર્યાસ્ત થઈ ગયા છતાં ભગવાન મહાવીરની પર્ષદામાં વધુ સમય રોકાવાને કારણે ચંદનબાળા, તરફથી ઠપકે મળતાં મૃગાવતી પશ્ચાત્તાપ અને આલોચના કરતાં કરતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પિતાનાં ગુરણી કરતાં પોતે વહેલું કેવળજ્ઞાન પામે છે અને એની ખબર પડતાં જૈન પ્રણાલિકા અનુસાર ગુરણ ચંદનબાલા શિષ્યા મૃગાવતીને વંદન કરે છે, કેવલીને નમસ્કાર કરે છે.
મૃગાવતી ચેટક રાજાની દીકરી હતાં. શતાનીક રાજા સાથે એમનાં