________________
૧૮૨ / પડિલેહ - લગ્ન થયાં હતાં. લગ્ન પછી સગર્ભાવસ્થામાં વિચિત્ર દોહદને કારણે એમને વિયોગનું કેટલું દુઃખ સહન કરવું પડે છે! વનમાં પુત્ર ઉદયનકુમારને જન્મ આપે છે અને કેટલાંક વર્ષ પછી શતાનીક સાથે એમને મેળાપ થાય છે એની ઘટના રસિક છે. એક ચિતાર ઉપર વહેમ આવતાં શતાનીક ચિતારાને કેવી સજા કરે છે અને વેર લેવા ચિતાર ચંડપ્રદ્યોત રાજાને કેવી રીતે ઉશ્કેરે છે અને પરિણામે કેવી કેવી ઘટનાએ બને છે તેનું પણ રસિક આલેખન આ રાસમાં કવિએ કર્યું છે. - પાસના ત્રીજા ખંડમાં મૃગાવતીની દીક્ષાનું, એમને પ્રાપ્ત થયેલ કેવળજ્ઞાનનું અને નિર્વાણનું વર્ણન છે. સમાન્ય રીતે જૈન કથાઓમાં કથાનાયક કે કથાનાયિકાના નિર્વાણપ્રાપ્તિના પ્રસંગથી કથાનું સમાપન થાય છે તેમ અહીં પણ મૃગાવતીને નિર્વાણના પ્રસંગ સાથે કથાનું સમાપન થાય છે.
કવિ સમયસુંદર પોતાની રાસકૃતિઓમાં માત્ર કથાકાર તરીકે જ નહીં પણ એક કુશળ સિદ્ધહસ્ત કવિ તરીકે કથાપ્રસંગોનું નિરૂપણ કરે છે, અને તેમાં જ્યાં જ્યાં અવકાશ મળે ત્યાં ત્યાં પોતાના આલેખનને રસિક બનાવે છે. નગરનું વર્ણન હેય, ઉત્સવનું વર્ણન હેય, નાયક કે નાયિકાનું વર્ણન હોય કે સુખદુઃખના પ્રસંગોનું વર્ણન હેય, તેમાં કવિ પિતાની કલ્પનાના રંગે પૂર્યા વગર રહી શક્તા નથી. - શતાનીક રાજા અને કૌશામ્બી નગરીનું વર્ણન કરતાં કવિ લખે
તિણ દેસ કોસંબી પુરી, જાણે ઇન્દ્રપુરી અવતરી; વિબુધ લેક ગુરૂનઈ ઘઈ માન, જ્યોભિત બહુ સુખ સંતાનજમુના નદી વહઈ જસુ પાસિ, જાણિ જલધિ મુકી (ક) હઈ તાસ રતન માહરા લીધા મથી, ઘઉ મુજ તુજઝ અમૂરતિ નથી. પ્રાસાદ સંગ ઉપરિ પૂતલી, કમલ નેત્ર નઈ કટિ પાતલી જાણિ નગર રિધિ જોવા ભણું, અમર સુંદરી આવી ઘણ.