________________
૧૭૪ | પડિલેહા છે. આ સમય દરમ્યાન સમયસુંદર ગુજરાતી ભાષામાં રાસ, પ્રબંધ.. ગીત, સ્તવને, છત્રીસી વગેરે પ્રકારની કાવ્યકૃતિઓ લખવી શરૂ કરી દીધી હતી.
વાચનાચાર્યની પદવી પછી વીસ કે એકવીસ વર્ષે સમયસુંદરને પાઠક એટલે કે ઉપાધ્યાયની પદવી મળી હતી. આચાર્યશ્રી જિનસિંહસૂરિએ લવેરા મુકામે એમને આ પદવી આપી હતી એમ રાજસોમ કવિ નેધે છે. પરંતુ કઈ સાલમાં આ પદવી એમને આપવામાં આવી એને ઉલ્લેખ કર્યો નથી. જોકે સમયસુંદરની કૃતિઓ પરથી એ સાલ નક્કી કરવામાં બહુ મુશ્કેલી નડતી નથી. સં. ૧૬૭૨ અને ત્યાર પછી રચાયેલી બધી જ કૃતિઓમાં કવિ પિતાને પાઠક કે ઉપાધ્યાય તરીકે ઓળખાવે છે. જેમકે, સં. ૧૬૭૨માં રચાયેલા સિંહલસૂત પ્રિયમેલક રાસને અંતે તેઓ લખે છે :
જયવંતા ગુરુ રાજીયા રે, શ્રી જિનસિંહસૂરિ રાય; સમયસુંદર તસુ સાનિધિ કરી રે, ઈમ પભણઈ વિઝાય રે” સં. ૧૬ ૭૩માં લખાયેલા “નલ દવદંતી રાસને અંતે કવિ લખે છે: “ઉવઝાય ઈમ કહઈ સમયસુંદર, કીય આગ્રહ નેતસી; ચઉપઈ નલદવદંતી કરી, ચતુર માણસ ચિતવસી.”
સંવત ૧૬૭ર પહેલાંની કોઈ પણ કૃતિમાં સમયસુંદરે પોતાને માટે પાઠક કે ઉપાધ્યાય પદને ઉલ્લેખ કર્યો નથી. એટલે સં. ૧૯૭૧ માં એમને ઉપાધ્યાયની પદવી મળી હશે એમ માની શકાય.
એમના કેટલાક શિષ્યોએ એમને મહાપાધ્યાય તરીકે ઉલ્લેખ કર્યો છે. આચાર્ય શ્રી. જિનહર્ષસૂરિના કાળધર્મ પામ્યા પછી (સં. ૧૬૮૦ પછી), એમના ખરતરગચ્છમાં વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને આટલા * જુગપ્રધાન જિનચંદ સ્વયંહસ્ત વાચક હ પદ લાહોરે દિ શ્રીજિનસિંહસૂવિંદ સહેરે કરે છે, પાઠક પદ દીયે.
રાજસમકૃત “સમયસુંદરજી ગીતમ્ *