________________
૧૭૪ પઢિલેહા
એ પ્રમાણે આચરણ કરતા થઈ ગયા હતા, અને સમયસુ ંદર પણ પેાતાના કેટલાક શિષ્યાને તેમ કરતાં અટકાવી શકયા નહિ.
દુકાળને કારણે સાધુએમાં આવેલા આવા અનાચરણથી કવિને ઘણું દુ:ખ થયું. સાધુજીવનમાં એક વખત પ્રવેશેલી શિથિલતા ચાલુ રહે કે વધે નહિ એ માટે એમણે પાતે મન મક્કમ કર્યું અને સ ૧૬૯૧માં એમણે ‘ક્રિયાધાર' કરી પેાતાનું સાધુજીવન પરિશુદ્ધ કર્યું.
સમયસુંદરના ઉત્તરાવસ્થાના માનસિક પરિતાપનું ખીજું કારણ એમના શિષ્યા હતા. સત્યાસીના દુકાળ વખતે એમના કેટલાક શિષ્યો એમનાથી વિમુખ બની ગયા હતા. કેટલાક તેમને છેડીને ચાલ્યા ગયા હતા. શિષ્યમાં પણ અંદર અંદર કલહ થવા લાગ્યા હતા. પેાતાની લગભગ એંસી વર્ષ જેટલી ઉંમર થવાને લીધે દરેક વાત તેમને પેાતાના શિષ્યા પર આધાર રાખવા પડતા. જે શિષ્યાને તૈયાર કરવામાં એમણે અસાધારણ ભેગ આપ્યા હતા તે જ શિષ્યા હવે એમની આજ્ઞાનું પાલન રાજીખુશીથી કરવા તૈયાર નહેાતા, અને કવિને પાકટ ઉંમર અને જરિત દેહને કારણે લાચારીથી શિષ્યા કહે તેમ કરવુ પડતું હતું. સમયસુંદરનું આ માનસિક દુઃખ જેવુંતેવુ' નહેાતું. એમણે પાતે એક કાવ્યમાં પેાતાનુ આ દુઃખ નિખાલસપણે વર્ષોંળ્યું છે. *
*
ધેલા નહી. તઉ મ કરઉ ચિંતા દીસઈ ણે ચલે પણ દુઃખ સંતાન કર ́મિ હુઆ શિષ્ય બહુલા, પણિ સમયસુંદર ન પાચ સુખ.
*
*
જોડ ઘણી વિસ્તરી જગત મઈ, પ્રસિદ્ધિ થઈ પાતસાહ પત પણ એકકણ વાત રહી અણુતિ ન ક્રિયઉ કિણ શૈલઈ નિશ્ચન્ત.
સમયસુંદર