________________
ત્રિભુવનદીપકપ્રબંધ
વિક્રમના પંદરમા શતકના કવિ શ્રી જયશેખરસૂરિની પ્રતિભા ખરેખર એક મહાકવિની છે. મધ્યકાળના ગણનાપાત્ર ઉત્તમ કવિઓમાં તેમનું સ્થાન મહત્વનું છે. એમણે ગુજરાતી ભાષા કરતાં સંસ્કૃત અને પ્રાકૃત ભાષામાં પિતાનું લેખન વિશેષ કરેલું છે, અને તેમાં જ મહાકવિની તેમની પ્રતિભાનાં આપણને દર્શન થાય છે. એમણે બાર હજાર શ્લેકથી અધિક પ્રમાણવાળા “ઉપદેશચિંતામણિ' નામને ગ્રંથ સંસ્કૃતમાં લખ્યો છે. આ ઉપરાંત એમણે “ધમિલચરિતમહાકાવ્ય' અને “જેન કુમારસંભવ' નામનાં બે મહાકાવ્યો લખ્યાં છે. એ મહાકાવ્ય જ એમની મહાકવિ તરીકેની સિદ્ધિનાં દર્શન કરાવવાને બસ છે. આ મહાકાવ્યો ઉપરાંત એમણે “પ્રબંધચિંતામણિ', “શત્રુંજયતીર્થાત્રિશિકા', “ગિરનારગિરિદ્વાત્રિશિકા ', “મહાવીરજિનહાનિંશિકા', “આત્માવબેધકુલક' ઇત્યાદિ ગ્રંથની રચના કરી છે. ગુજરાતીમાં એમણે પિતાના સંસ્કૃત રૂપકકાવ્ય “પ્રબંધચિંતામણિ પરથી. ત્રિભુવનદીપકપ્રબંધ'ની રચના કરી છે.
જયશેખરસુરિ અંચલ ગમછના હતા. તેમના ગુરુ મહેનપ્રભસૂરિ