________________
૧૬૦ / પડિલેહ
તેજવંત બિહુભુવન-મઝારિ પરમહંસ નરવર અવધારિ જેહ જપતાં નવિ લાઈ પાપ, દિનિ દિનિ વાધઈ અધિક પ્રતાપ બુદ્ધિમહેદધિ બહુ બલવંત અકલ અજેઉ અનાદિ અનંત ક્ષણિ અમરગણિ ક્ષણિ પાયાલિ, ઈરછાં વિલસઈ તે ત્રિદુકાલિ રાણું તાજુ ચતુર ચેતના કેતા ગુણ બલઉં તેહના? - રાઉ રાણું બે મનનઈ મેલિ,
ફિરિ ફિરિ કરઈ કુતૂહલ કેલિ. એક વખત રાજા પરમહંસનું મન માયા નામની રમણના. રૂપમાં લપટાય છે. એ વખતે રાણું ચેતના રાજાને માયાને સંગ ના કરવા સમજાવે છે અને ચેતવે છે કે માયાના મેહમાં પડવાથી તેઓ પિતાનું રાજ્ય ગુમાવી સંસારમાં પડશે. પરંતુ રાજા તે માનતું નથી. એટલું જ નહિ માયાના મોહમાં રાજા પોતાની રાણું ચેતનાને પણ ત્યાગ કરે છે. પરિણામે રાજાનું ત્રિભુવનનું રાજ્ય ચાલ્યું જાય છે. છેવટે રાજ કાયાનગરી વસાવી તેમાં રહીને સંતોષ માને છે.
રાજા પોતે પોતાની આ કાયાનગરીને વહીવટ પોતાના મન નામના અમાત્યને સેપે છે. દુષ્ટ વૃત્તિવાળા મન રાજાને બંધનમાં નાખી, જેલમાં પૂરી પિતે સજા થઈ બેસે છે અને આખા રાજ્યને ધૂળધાણું કરી નાખે છે. હવે રાજા પરમહંસને રાણી ચેતનાની કઈ શિખામણ ન માનવાને લીધે પશ્ચાત્તાપ થાય છે. પરંતુ એને હવે કઈ છેડાવનાર નથી.
મનને પ્રવૃત્તિ અને નિવૃત્તિ નામની બે પત્ની છે. પ્રવૃત્તિને પુત્ર