________________
૧૪૭ | પડિલેહ
અમલ કલઈ રે પત્ર લતા કરી, કસ્તૂરીની વિચિત્ર, માનું એ પ્રશસ્તિ મદનતણ, જગ જયકારિ ચરિત્ર.
જંબૂ કુમારને લગ્ન માટે સજ્જ કરવામાં આવે છે તે સમયે પીઠી ચોળ્યા પછી એમણે સ્નાન કર્યું ત્યારે એમના વાળમાંથી પાણી - ટપકી રહ્યું હતું તે જાણે ભવિષ્યમાં પિતાને કેચ નજીક આવેલ જોઈને વાળ રડી ન રહ્યા હોય એવું લાગતું હતું, એવી ઉઝેક્ષા કરીને કવિએ ભવિષ્યમાં જંબૂકુમાર જે દીક્ષા લેવાના છે તેનું સૂચન -અલંકાર દ્વારા કરી દીધું છેઃ
નીચેઈનું પાણી રે, ન્હાયા જંબૂ શિર જાણી રે; લેચ ટૂકડો માનું એ કેશ આંસ ઝરઈ રે.
સ્ત્રીઓ વિલાસનું કારણ હોવા છતાં પોતાની આઠ પત્નીઓ આગળ જંબૂકમાર નિર્વિકાર રહી શક્યા એ એમની લેકેત્તરતા બતાવવા માટે કવિ લખે છેઃ
અહો રહઈ જંબૂ તિહાં, નિર્વિકાર પ્રિયા પાસ; ગેરે કેરો કુણ રહઈ, મસિ ઊરે કરિ વાસ.
કવિએ અલંકારશાસ્ત્ર અને વ્યાકરણમાંથી પણ કેટલાક અલંકાર પ્રજ્યા છે. આત્માને સાંસારિક બંધનેમાંથી છોડાવે તે જ સાચે "બંધુ, બીજા બંધુઓ બંધનí છે. એ માટે કવિ પૃષોદર સમાસને ' દાખલે આપે છેઃ
બંધુ છોડવઈ જે બંધુ તે, ગણુ પ્રદરનું એ રૂપ કંઈ;
બંધુ સુજસ ગુરુ તે ભલે, બીજા બંધ સ્વરૂપ. કવિતા કેવી હોવી જોઈએ તે માટે કવિએ ઉપમા આપી છેઃ
પ્રગટ ન ગુજરી કુચ પરિ, છન ન અંધિ સંકાસ, સુભગ અર્થ હુઈ મરહડી, કુચ - પરિ છન્ન પ્રકાસ.